આચારસંહિતાને કારણે મુંબઈમાં નાળાસફાઈ કામમાં વિલંબ
ચોમાસા પહેલા શહેરની નાળાસફાઈ કરવાનું બીએમસી સામે આવાહન
![Delay in sewage disposal in Mumbai due to code of conduct](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/Dhiraj-ms-66.jpg)
મુંબઈ: મુંબઈમાં ચોમાસુ શરૂ થયા પહેલા મુંબઈ મહાપાલિકા (બીએમસી) દ્વારા નાળાસફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે. મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં અનેક નાના મોટા નાળા આવેલા છે આ સાથે શહેરના એક્સ્પ્રેસ વે નજીકના નાળા સાથે મીઠી નદીની સફાઈ માટે પણ બીએમસીએ 250 કરોડ રૂપિયાની ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: મુંબઈથી કેબમાં આવીને પુણેમાં ચોરી કરનાર બે ગઠિયાની ધરપકડ, જાણો શું છે આખો મામલો
મુંબઈમાં ચોમાસા દરમિયાન નાળાસફાઈ નહીં થતાં શહેરમાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યા નિર્માણ થાય છે. આ સમસ્યાને દૂર કરવા બીએમસી માર્ચ મહિનાથી જ નાળાસફાઈનું કામ શરૂ કરે છે, આ કામકાજ માટે કોન્ટ્રેક્ટરની નિમણૂક કરવામાં આવી છે, પણઆ વર્ષે લોકસભા ચૂંટણીને લીધે આચારસંહિતા લાગુ કરવામાં આવતા નાળાસફાઈના કામમાં વિલંબ થવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી. મુંબઈના નાના મોટા નાળાઓમાં કચરો અને માટી જમા થઈ જતાં વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે.
આ પણ વાંચો: હાર્દિકને હટાવી ફરી રોહિતને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બનાવાશે?
દર વર્ષે માર્ચની શરૂઆતમાં થતી નાળાસફાઈ આ વર્ષે મોડી શરૂ થવાની છે, જેને લીધે કોન્ટ્રેક્ટરો સામે ચોમાસા પહેલા જ નાળાસફાઈનું કામ પૂર્ણ કરવાનું મોટું ચેલેન્જ છે. બીએમસી દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નાળાસફાઈ કરવામાં આવે છે, પણ મુંબઈગરાઓની સમસ્યા જ્યાં ને ત્યાં જ રહી જાય છે. જેથી નાળાસફાઈ યોગ્ય રીતે થઈ રહી છે કે નથી તે બાબતે કોન્ટ્રેક્ટરોના કામ પર સીસીટીવી વડે બીએમસી નજર રાખશે. આ સાથે આખા બીએમસી ક્ષેત્રમાં 50 હજાર કરતાં વધુ લોકોની નાળાસફાઈના કામકાજ માટે જરૂર પડશે, એવી માહિતી એક પાલિકા અધિકારીએ આપી હતી.
આ પણ વાંચો: 600થી વધુ લોકો સાથે 380 કરોડની છેતરિંપડીઃ મુંબઈ પોલીસે ઉત્તરાખંડથી આરોપીને પકડ્યો
બીએમસીએ મુંબઈની મીઠી નદીને સ્વચ્છ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ હેઠળ માર્ચ મહિનાના અંતથી મીઠી નદીને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરવામાં આવવાનું છે. આ કામ 30 ટકા પૂર્ણ થતાં બીએમસી સામે ચોમાસા પહેલા આ કામ પૂર્ણ કરવાનું મોટું આવાહન છે. બીએમસીની માહિતી મુંબઈ અને ઉપનગરોના વિસ્તારમાં 605 કિલોમીટરના વિસ્તારમાં 1,508 નાના નાળા, 290 કિલોમીટરમાં 309 મોટા નાળા અને 3,134 કિલોમીટરના રસ્તા નીચે ડ્રેનેજ સિસ્ટમ ફેલાયેલી છે, જેને સાફ કરવા માટે બીએમસી પ્રયત્ન કરી રહ્યું છે.