થાણે તળાવમાં ૧૨ વર્ષના છોકરાનું ડૂબી જવાથી મોત...

થાણે તળાવમાં ૧૨ વર્ષના છોકરાનું ડૂબી જવાથી મોત…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: થાણેમાં ઘોડબંદર રોડ પર કાસારવડવલીમાં તળાવમાં તરવા ગયેલા ૧૨ વર્ષના છોકરાનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. મૃતકનું નામ પિયુષ સોનાવણે હોઈ તે પાંચમા ધોરણમાં ભણતો હતો.

કાસારવડવલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ થાણેમાં વાઘબીળમાં વિજય ગાર્ડન નજીક આવેલા ઝુમ્મા નગરમાં પિયુષ સોનાવણે રહેતો હતો. સોમવારે બપોરના તે કાસારવડવલીમાં રામ મંદિર તળાવમાં તરવા માટે ગયો હતો પણ તેને પાણીનો અંદાજ આવ્યો નહોતો. પાણીની અંદર તરવા માટે ગયા બાદ તે ડૂબી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ, કાસારવડવલી પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત બચાવ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પિયુષને તળાવમાંથી બહાર કાઢયો હતો. તેને તાત્કાલિક થાણે જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો…મિત્રોના ફોટો પાડવા ગયેલા યુવકનું જુહુના દરિયામાં ડૂબીને મોત

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button