આમચી મુંબઈમહારાષ્ટ્ર

બીએએમએસ ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પ્રધાન શિંદેનો મોટો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન (બીએએમએસ) ડિગ્રી ધારકોને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. અન્ય રાજ્યોમાંથી આયુર્વેદની ડિગ્રી મેળવનારા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને હવે પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સમાં મહારાષ્ટ્રના ક્વૉટામાં તક મળશે.

જે વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના રહેવાસી છે, પરંતુ અન્ય રાજ્યોમાંથી બીએએમએસ કર્યું હોય છે તેમને પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સમાં આયુર્વેદિક શિક્ષણ માટે રાજ્યના ક્વૉટામાંથી પ્રવેશ મળતો ન હતો.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે સાથે વર્ષા નિવાસસ્થાને મળેલી બેઠકમાં મુખ્ય પ્રધાને તબીબી શિક્ષણના મુખ્ય સચિવ દિનેશ વાઘમારેને પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ નિયમોમાં જરૂરી ફેરફારો કરવા અને આયુર્વેદના વિદ્યાર્થીઓ સામેના આ અન્યાયને દૂર કરવા તાત્કાલિક મંજૂરી માટે સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ જેમણે અન્ય રાજ્યોમાંથી બીએએમએસ કર્યું છે તેમને હવે મોટી રાહત મળશે, કારણ કે તેમને રાજ્યના 85% ક્વૉટા (સરકારી અને ખાનગી ગ્રાન્ટેડ) અને 70% ક્વૉટા (ખાનગી નોન-ગ્રાન્ટેડ)માં પ્રવેશ મેળવવાની તક મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ?