આમચી મુંબઈ

ધારાવી પુનર્વિકાસ: મીઠાના અગરની જમીન ટ્રાન્સફર વિરુદ્ધ PIL બોમ્બે હાઈ કોર્ટે ફગાવી…

મુંબઈ: ધારાવી પુનર્વિકાસથી પ્રભાવિત પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓના પુનર્વસન માટે પૂર્વીય ઉપનગરોમાં ૨૫૫.૯ એકર મીઠાના અગરની જમીન મહારાષ્ટ્ર સરકારને ટ્રાન્સફર કરવાને પડકારતી જાહેર હિતની અરજી (પીઆઇએલ) આજે બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી.

બોમ્બે હાઈ કોર્ટે નોંધ્યું હતું કે મીઠાના અગરની જમીનનો ઉપયોગ પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓના પુનર્વસન માટે થઈ શકતો નથી તે દર્શાવતી કોઈ માહિતી રેકોર્ડ પર રજૂ કરવામાં આવી નથી.મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયાધીશ સંદીપ માર્નેની બેન્ચે જણાવ્યું હતું કે, “અમારા મતે, જો પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓના પુનર્વસન કરવામાં આવે તો જાહેર હિત જળવાઈ રહેશે.”

એડવોકેટ અને સામાજિક કાર્યકર સાગર દેવરેની પીઆઈએલમાં ૭ ઓગસ્ટ અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજના બે સરકારી ઠરાવોને પડકારવામાં આવ્યો હતો, જેમાં ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટને કારણે વિસ્થાપિત થયેલા રહેવાસીઓના પુનર્વસન માટે મુલુંડ, ભાંડુપ અને વિક્રોલીમાં ૨૫૫.૬ એકર મીઠાના અગરની જમીન કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

પીઆઈએલમાં દલીલ કરવામાં આવી હતી કે આ પગલાથી નાજુક દરિયાકાંઠાની ઇકોસિસ્ટમને નુકસાન થશે અને અગાઉની નીતિઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે મીઠાના અગરની જમીનનો ઉપયોગ અન્ય હેતુઓ માટે થવો જોઈએ નહીં.

દેવરેએ એવો પણ દાવો કર્યો હતો કે આ જમીન કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હેઠળ આવે છે અને તેને ભીનાશવાળી જમીન તરીકે સુરક્ષિત રાખવી જોઈએ.જોકે, એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે વળતો જવાબ આપ્યો કે સુધારેલા વેટલેન્ડ્સ નિયમો ૨૦૧૭ હેઠળ મીઠાના અગરની જમીનોને વેટલેન્ડ્સની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે. તેમણે કોર્ટને એમ પણ કહ્યું કે જમીન રાજ્ય સરકારને એ શરતે ટ્રાન્સફર કરવામાં આવી હતી કે તમામ પર્યાવરણીય મંજૂરીઓ મેળવવામાં આવશે.

આ પણ વાંચો : ધારાવી પુન:વિકાસ પ્રોજેક્ટ :અદાણીની આગેવાની હેઠળના એસપીવીએ આક્સા માલવણી જમીન માટે પર્યાવરણીય ટીઓઆર(સંદર્ભની શરતો) અરજી દાખલ કરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button