આમચી મુંબઈ

મ્યુ. કમિશનર, એડિશનલ મ્યુ. કમિશનરની બદલી અનિવાર્ય, ચૂંટણી પંચે ફગાવી રાજ્યની માગ

મુંબઇઃ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની બદલીને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનરોને ત્રણ વર્ષના માપદંડ લાગુ ન કરવાની રાજ્ય સરકારની માગણીને ચૂંટણી પંચે મંગળવારે ફગાવી દીધી હતી. તેથી ચહલની સાથે એડિશનલ કમિશનર અશ્વિની ભીડે અને અન્ય કેટલાક અધિકારીઓની હવે બદલી કરવી પડશે. ગયા અઠવાડિયે, ચૂંટણી પંચે મ્યુનિસિપલ કમિશનરો, એડિશનલ કમિશનરોની બદલીનો આદેશ આપ્યો હતો જેઓ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ઓફિસમાં છે.

ચૂંટણી પંચના આદેશને કારણે હવે મુંબઇના મ્યુ. કમિશનર ઇકબાલ સિંહ ચહલ અને એડિશનલ મ્યુ. કમિશનર અશ્વિની ભીંડેની બદલી અનિવાર્ય બની ગઇ છે.


રાજ્ય સરકારે સોમવારે ચૂંટણી પંચને પત્ર મોકલીને કમિશનર અને એડિશનલ કમિશનરને આદેશમાંથી બાકાત રાખવાની વિનંતી કરી હતી કારણ કે તેઓ ચૂંટણી પ્રક્રિયામાં સીધી રીતે સંકળાયેલા ન હતા, પરંતુ મંગળવારે ચૂંટણી પંચે સરકારની આ વિનંતીને ફગાવી દીધી હતી અને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી પદ પર રહેલા મ્યુનિસિપલ કમિશનર કે એડિશનલ કમિશનરની બદલી કરવી જ પડશે. ચૂંટણી પંચના આદેશને કારણે રાજ્ય સરકારે હવે ચહલની સાથે એડિશનલ કમિશનર અશ્વિની ભીડે અને વેલારાસુ તેમ જ પુણે અને અન્ય કેટલીક નગરપાલિકાઓમાં એડિશનલ કમિશનરોની બદલી કરવી પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…