ભાજપની મુંબઈ પાલિકા માટે નવી વ્યૂહરચના મુંબઈગરાના મંતવ્યો જાણવાની ઝુંબેશ આદરી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ભાજપની મુંબઈ પાલિકા માટે નવી વ્યૂહરચના મુંબઈગરાના મંતવ્યો જાણવાની ઝુંબેશ આદરી

મુંબઈ: કેન્દ્ર અને રાજ્ય પછી હવે મુંબઈ મહાનગરપાલિકામાં પણ પોતાની સત્તા સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલા ભાજપે મુંબઈગરા પાલિકા વહીવટીતંત્ર પાસેથી લોકોની અપેક્ષાઓ શું છે તે જાણવા માગે ચે અને આ અંગે તેમણે એક સર્વેક્ષણ પણ હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. ભાજપની આ ચૂંટણી માટેની પૂર્વતૈયારીઓ તરીકે જોવામાં આવી રહી છે.

ભાજપ મુંબઈવાસીઓને પૂછી રહી છે કે તેઓ તેમના શહેરમાં શું ઇચ્છે છે, 50,000 થી વધુ લોકોએ પહેલેથી જ ઓનલાઈન પોતાનો પ્રતિસાદ આપી દીધો છે. હવે, 31 ઓક્ટોબરથી ત્રણ દિવસ સુધી પાર્ટી રેલવે સ્ટેશનો, બસ સ્ટોપ અને હાઉસિંગ સોસાયટીઓમાં નાગરિકોને રૂબરૂ મળીને લોકોને તેમની અપેક્ષાઓ વિશે પૂછશે.

આપણ વાંચો: ભાજપનું લક્ષ્ય હવે મુંબઈ મહાનગરપાલિકા ગારગાઈ પ્રોજેક્ટ માટે બે મહિનાની અંદર ટેન્ડર બહાર પાડવાનો રાજ્ય સરકારનો નિર્દેશ…

મુંબઈ ભાજપના પદાધિકારીઓ સીધા લોકો પરથી એકત્રિત કરાયેલા અભિપ્રાયને આધારે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. આ પહેલના ભાગરૂપે, મુંબઈ ભાજપના અધ્યક્ષ અમિત સાટમ શુક્રવારે સવારે નેશનલ પાર્ક અને રવિવારે સવારે મરીન ડ્રાઇવમાં લોકો સાથે સંવાદ સાધશે.

રાજ્યભરમાં બીએમસી અને અન્ય 28 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ યોજવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા 31 જાન્યુઆરી, 2026 છે અને તે પહેલાં ચૂંટણી યોજાવાની શક્યતા છે.

છેલ્લે બીએમસીની ચૂંટણીઓ 2017માં યોજાઈ હતી અને કોર્પોરેશનનો પાંચ વર્ષનો કાર્યકાળ 2022માં સમાપ્ત થઈ ગયો છે. 2017માં, અવિભાજિત શિવસેનાએ 84 બેઠકો મેળવી હતી, જ્યારે ભાજપે મુંબઈના કુલ 227 નાગરિક વોર્ડમાંથી 82 બેઠકો જીતી હતી. ભાજપ લાંબા સમયથી બીએમસીમાં પોતાનો મેયર બેસાડવાનું લક્ષ્ય રાખી રહ્યું છે, પચીસ વર્ષથી શિવસેનાના નિયંત્રણ હેઠળ છે.

આપણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના માટે ફક્ત આટલા લોકોના આવ્યા વાંધા અને સૂચનો

ગયા અઠવાડિયે, મુંબઈમાં પસંદગીના પત્રકારો સાથે વાત કરતા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવો દાવો કર્યો હતો કે પાર્ટી પોતાના દમ પર મુંબઈમાં લગભગ 100 બેઠકો જીતશે. ‘ગઠબંધનમાં તેને કેટલી બેઠકો મળે છે તેના આધારે જીતવાની અપેક્ષિત બેઠકોમાં થોડી બેઠકો વધી શકે છે અથવા ઘટી શકે છે.’

બીએમસીની ચૂંટણીઓમાં જોરદાર જંગ જોવા મળે એવી શક્યતા છે કારણ કે ઉદ્ધવ ઠાકરેના અલગ થયેલા પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ તેમના મતભેદોને બાજુ પર રાખ્યા છે અને તેમના પ્રચારના મૂળમાં મરાઠી ગૌરવના મુદ્દે જોડાણ તરીકે ચૂંટણી લડવાની શક્યતા છે.

બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની એનસીપીનું ત્રણ પક્ષનું ગઠબંધન મુંબઈ પર નિયંત્રણ જાળવી રાખવાના વિપક્ષના સપનામાં મોટો અવરોધ ઉભો કરી રહ્યું છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button