આમચી મુંબઈ

રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૪૪ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની ૨૯ મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ના થનારી ચૂંટણીમાં ભાજપના ૪૪ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત ભાજપ કરી હતી.

ભાજપ પ્રદેશાધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે તમામ નવચૂંટાયેલા નગરસેવકોને અભિનંદન આપ્યા હતા. ચૂંટણી પંચ પાસેથી મળેલા આંકડા પ્રમાણે કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકામાં ૧૫ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

આ પણ વાંચો…પાલિકા સંગ્રામઃ કોણ – ક્યાં – કોની સાથે?, કોણ – ક્યાં – કોની સામે??

પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાના શુક્રવારે છેલ્લા દિવસે બપોરના ત્રણ વાગ્યા સુધીની મુદત હતી. આ મુદત પૂરા થયા બાદ ભાજપના ૪૪ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોવાનું જણાઈ આવ્યું હતું.

કલ્યાણ-ડોંબિવલીમાં ૧૫, પુણેમાં બે, પિંપરી-ચિંચવડમાં બે, પનવેલમાં છે, ભિવંડીમાં છ, ધુળેમાં ચાર, જળગાંવમાં છ, અહિલ્યાનગરમાં ત્રણ એક કુલ ૪૪ ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button