આમચી મુંબઈ

ભિવંડીમાં કટરના ઘા ઝીંકી સુથારની હત્યા: સગીર પકડાયો

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં જમવાનું બનાવવા અને વાસણો ધોવાને મુદ્દે ઝઘડો થયા બાદ કટરના ઘા ઝીંકી સુથારની હત્યા કરવા બદલ પંદર વર્ષના સગીરને પકડી પાડવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ભિવંડીના માનકોલી વિસ્તારમાં આવેલા સુરાઇ ગામમાં બુધવારે બપોરે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા સુથારની ઓળખ કૈસર અઝગરઅલી (22) તરીકે થઇ હતી.

કૈસર અને સગીર એક ઘરમાં ફર્નિચર બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે જમવાનું બનાવવા અને વાસણો ધોવાને મુદ્દે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

આપણ વાંચો: હત્યાના પુરાવા છુપાવવા માટે દ્રશ્યમ ફિલ્મ જોઈ! પાટણ પંથકની ચોંકાવનારી ઘટના! વાંચો આ અહેવાલ…

નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઝઘડાને કારણે સગીર ઉશ્કેરાયો હતો અને તેણે કૈસર પર પ્લાય કટરથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા કૈસરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સાંજે તેનું મૃત્યુ થયું હતું.

દરમિયાન નારપોલી પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) હેઠળ ગુનો દાખલ કરીને સગીરને તાબામાં લીધો હતો. સગીરને બાદમાં ભિવંડીના બાળ સુધારગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button