આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Session: ભાજપ – સેના (યુબીટી) વચ્ચે શું ચાલી રહ્યું છે????

સંજય રાઉતના ભાઇને સ્પીકર સન્માન આપે છે, વરુણ સરદેસાઈ ફડણવીસને મળે છે, ચંદ્રકાંત પાટીલ આદિત્ય ઠાકરે - દાનવેને ચોકલેટ મોકલે છે....

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. સત્ર દરમિયાન ભાજપના નેતાઓ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતાઓ વચ્ચે વધતી જતી નિકટતા હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આ વર્ષે પણ પહેલા જ દિવસે થયેલી બે બેઠકોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

પક્ષના વિભાજન પછી ઠાકરે જૂથને પહેલી તક મળી
પહેલા જ દિવસે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભાના તાલિકા અધ્યક્ષોની યાદી જાહેર કરી. આ વખતે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના ધારાસભ્ય સુનીલ રાઉતને નિયુક્ત કરવામાં આવ્યા છે. સુનીલ રાઉત ઠાકરે જૂથના મુખ્ય નેતા અને સાંસદ સંજય રાઉતના ભાઈ છે. રાજ્યમાં પક્ષના વિભાજન પછી પહેલી વાર ઠાકરે જૂથને તાલિકા અઘ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે. તેથી, ફડણવીસ અને ઠાકરે વચ્ચે વધતી જતી નિકટતાની ચર્ચા ફરી શરૂ થઈ છે.

સરદેસાઈ ફડણવીસને મળ્યા
બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ના આંગણામાં આવેલા બાંદ્રા પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ઠાકરે જૂથના વિધાન સભ્ય વરુણ સરદેસાઈ પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા ગયા હતા. તેમણે કહ્યું કે તેઓ આ મુલાકાત મતવિસ્તારમાં વિકાસ કાર્યો માટે લઈ ગયા છે. સરદેસાઈ હોય કે રાઉત, બંને ઠાકરે પરિવારની નજીક છે. સરદેસાઈ ઠાકરેના સંબંધી છે, જ્યારે રાઉત નજીકના સહયોગી છે. એ જ રીતે, ગયા વખતની જેમ, ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતાઓ અંબાદાસ દાનવે અને આદિત્ય ઠાકરેને ચોકલેટ આપીને શુભેચ્છા પાઠવી હતી. તેથી, એવી ચર્ચા છે કે આ ત્રણેય પગલાં ભાજપ અને ઠાકરે જૂથ વચ્ચેના અંતરને દૂર કરી રહ્યા છે.

શિયાળુ સત્ર દરમિયાન બેઠક
આ પહેલા, ઉદ્ધવ ઠાકરેએ ડિસેમ્બર 2024માં નાગપુરમાં યોજાયેલા વિધાનસભાના શિયાળુ સત્રમાં ભાગ લીધો હતો. તે સમયે તેઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પણ મળ્યા હતા. આ બેઠક દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ ઠાકરે જૂથને આપવું જોઈએ તેવી ચર્ચા થઈ હતી. ત્યારથી તે મુદ્દો વણઉકેલાયેલો રહ્યો છે.

આ પણ વાંચો…ધનંજય મુંડે મળ્યા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને: શું ચર્ચા થઈ તે રહસ્ય…

ઠાકરે જૂથને વિપક્ષી નેતા પદ?
આ વર્ષના સત્રમાં પણ ઠાકરે જૂથને વિપક્ષી નેતાનું પદ મળવાની ચર્ચા છે. સંખ્યાના અભાવે, આ ચૂંટણી ખાસ સત્તાઓનો ઉપયોગ કરીને યોજાવાની શક્યતા છે. સંજય રાઉતે પહેલાથી જ આ પદ માટે પોતાનો દાવો રજૂ કરવાનો સંકેત આપી દીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button