આમચી મુંબઈ

આવતીકાલે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? પહેલાં આ વાંચી લો, નહીંતર…

મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈની લાઈફલાઈન છે. દરરોજ કરોડો પ્રવાસીઓ આ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને પોત-પોતાની મંઝિલ પર પહોંચે છે. પરંતુ દર રવિવારની જેમ આવતીકાલે એટલે કે 13મી જુલાઈના રોજ સિગ્નલ મેઈન્ટેનન્સ, ટ્રેક મેઈન્ટેનન્સ અને અન્ય કામકાજ માટે રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે મુંબઈની આ લાઈફલાઈનનો વેગ મંદ પડશે. જો તમે પણ આવતીકાલે બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પહેલાં આ સમચાર વાંચી લો-

મધ્ય રેલવે પર વિદ્યાવિહાર-થાણે વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈને પર સવારે 8થી બપોરે 1.30 કલાક સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયે પાંચમી અને છઠ્ઠી લાઈન પરનો તમામ ટ્રાફિક અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે, જેને કારણે લોકલની અવરજવર પર અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ વિના મુસાફરી કરતા હોય તો ચેતી જજો!

હાર્બર લાઈન પર કુર્લા-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. આ સમયે સીએસએમટી-વાશી, બેલાપુર અને પનવેલ અને પનવેલ, બેલાપુર, વાશીથી સીએસએમટી વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ રહેશે. આ સમયે સીએસએમટી-કુર્લા અને પનવેલ-વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ સિવાય બ્લોકના સમય દરમિયાન પ્રવાસીઓને ટ્રાન્સ હાર્બર લાઈન પર પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

પશ્ચિ રેલવે પર રવિવારે દિવસના સમયે કોઈ બ્લોક નહીં રહે પણ શનિવારે રાતે સ્પેશિયલ બ્લોક હાથ ધરવામાં આવશે. શનિવારે રાતે 12.30 કલાકથી વહેલી સવારે 4 વાગ્યા સુધી સાંતાક્રુઝ-ગોરેગાંવ વચ્ચે અપ ફાસ્ટ અને પાંચમી લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયે ગોરેગાંવ-માહિમ વચ્ચે અપ ફાસ્ટ લોકલ અપ સ્લો લાઈન પર દોડાવવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button