9 ઓક્ટોબરે એપ આધારિત ટેક્સી સેવાઓ બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં એપ આધારિત કેબ, ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકોએ વિવિધ મુદ્દાઓનું નિરાકરણ ન લાવવામાં આવતું હોવાના વિરોધમાં નવમી ઓક્ટોબરે બંધનું એલાન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવા માટે ભારતીય ગિગ વર્કર્સ ફોરમે એક દિવસના બંધનું એલાન આપ્યું છે. આ બંધથી રાજ્યમાં પરિવહન સેવાઓ પર અસર થવાની શક્યતા છે.
ડ્રાઇવરોએ રાજ્ય પરિવહન વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરનારા એગ્રીગેટર્સ સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. ઇંધણ અને જાળવણી ખર્ચમાં ભારે વધારો થયો છે અને ડ્રાઇવરોની આવક ઓછી છે. આને કારણે, કોઈ સામાજિક સુરક્ષા નથી અને ફરિયાદોના નિવારણ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.
આપણ વાંચો: એપ આધારિત કેબ ટેક્સી પર RTOની કાર્યવાહી : 8 મહિનામાં રૂ. 19 લાખ કરતાં વધુનો દંડ વસૂલ
તેથી, 9 ઓક્ટોબરે, તેઓ વધુ સારા વેતન, વીમા લાભો, પારદર્શક ભાડાનું માળખું અને એપ કંપનીઓ દ્વારા ડ્રાઇવરોના ખાતાઓના મનસ્વી સસ્પેન્શનનો અંત લાવવાની માગણી કરશે, એમ ઇન્ડિયન ગિગ વર્કર્સ ફોરમે જણાવ્યું હતું.
ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસે ત્રણેય કંપનીઓ – ઓલા, ઉબેર અને રેપિડો – ને તેમની એપ્સ પર સરકારના દર દર્શાવવા સૂચના આપી હતી. જોકે, આ કંપનીઓએ એપ પર સરકારી દરો લાગુ કર્યા નથી. 15 જુલાઈ, 2025ના રોજ, કેબ, રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોએ પરિવહન વિભાગના ગેરવહીવટ સામે આઝાદ મેદાન ખાતે ભૂખ હડતાળ, બંધ, દેખાવો વગેરે કર્યા હતા.
ત્રણે કંપનીઓ – ઓલા, ઉબેર, રેપિડો – સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને રાજ્યમાં ગેરકાયદે કાર્યરત છે અને અનેક કેસ નોંધાયા હોવા છતાં, ખાનગી ટુ-વ્હીલર પર મુસાફરોની સેવાઓ ચાલુ છે, આ બધાનો વિરોધ કરવા અને આ સમસ્યાઓ પ્રત્યે વડા પ્રધાનનું ધ્યાન ખેંચવા બંધનો આશરો લેવામાં આવ્યો છે.