આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

મારા જીવનની બીજી ઇનિંગ છે રાજકારણ: ઉજ્જવલ નિકમ

ઉજ્જવલ નિકમે કર્યા વડા પ્રધાનના વખાણ

મુંબઈ: 26/11ના આતંકવાદી હુમલામાં સંડોવાયેલા નરાધમ આતંકવાદી મોહમ્મદ આમીર અજમલ કસાબને ફાંસીના માંચડે લટકાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ભાજપ તરફથી ઉમેદવારી આપવામાં આવી છે અને તે પોતાના પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે. જોકે, પોતાના પ્રચાર દરમિયાન નિકમે ભારતીય ન્યાય વ્યવસ્થા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ભારતે કરેલી પ્રગતિ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રત્યાર્પણની પ્રક્રિયા ખૂબ જ જટીલ છે. આરોપીનું પ્રત્યાર્પણ કરીને ભારતમાં લાવવાની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ છે અને આપણે આ બાબતનો નિવેડો લાવવો જરૂરી છે. વિદેશની અદાલતો તેમના કાયદા પ્રમાણે પુરાવાઓ ચકાસે છે અને નિર્ણય લે છે. હું આ બાબતે અભ્યાસ કરી રહ્યો છું.

આ સિવાય તેમણે રાજકારણને પોતાના જીવનની બીજી ઇનિંગ ગણાવી હતી અને કહ્યું હતું કે હું હવે ન્યાયની અદાલતમાંથી લોકોની અદાલતમાં પ્રવેશ્યો છું. નિકમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે વડા પ્રધાને દુનિયામાં ભારતનું કદ વધાર્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે તેમણે અનેક લોકકલ્યાણની યોજનાઓ બહાર પાડી છે. વડા પ્રધાનની લોકપ્રિયતાના કારણે મને પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…