એર ઈન્ડિયાની મુંબઈ અમદાવાદ ફલાઇટ રદ કરવામાં આવી, જાણો કારણ…

મુંબઈ: એર ઈન્ડિયાની ફ્લાઇટ્સમાં વારંવાર ટેકનિકલ ખામીઓ જોવા મળી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સતત તપાસ કરવામાં આવી રહી છે અને ફલાઈટમાં ટેકનિકલ ખામીઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે હવે ફ્લાઇટને
ઓપરેશનલ સમસ્યાઓને પણ રદ કરવામાં આવી રહી છે. જેમાં સોમવારે મુંબઈથી અમદાવાદ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 2493 રદ કરવામાં આવી હતી. કારણ કે ફલાઇટના ક્રૂનો ડ્યુટી સમય પૂરો થઈ ગયો હતો. તેથી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
ઓપરેશનલ સમસ્યાને કારણે ફ્લાઇટ મોડી પડી
જેમાં મળતી માહિતી મુજબ, એરબસ A321-211 એરક્રાફ્ટ દ્વારા સંચાલિત ફ્લાઇટ ઓપરેશનલ સમસ્યાને કારણે મોડી પડી હતી. આ વિલંબ દરમિયાન ક્રૂ તેમની ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા (FDTL) મર્યાદા સુધી પહોંચી ગયો, જે એક નિયમ છે જે સલામતીના કારણોસર એરલાઇન ક્રૂ સભ્યો કામ કરી શકે તેટલા કલાકોની સંખ્યાને મર્યાદિત કરે છે.
દિલ્હીથી રાંચી જતી ફ્લાઇટ પાછી મોકલી દેવામાં આવી
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત દિલ્હીથી રાંચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને સોમવારે શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે ટેકઓફ પછી તરત જ દિલ્હી પરત મોકલી દેવામાં આવી હતી. બોઇંગ 737 મેક્સ 8 વિમાન રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર સાંજે 6:20 વાગ્યે ઉતરાણ કરવાનું હતું.
નિરીક્ષણ અને ક્લિયરન્સ પછી ફ્લાઇટ ફરી શરૂ થઈ
એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા મુજબ, નિરીક્ષણ અને ક્લિયરન્સ પછી વિમાને તેનું સામાન્ય સંચાલન ચાલુ રાખ્યું. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારા એક વિમાને શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે ઉડાન ભર્યા પછી દિલ્હી પરત ફર્યું. નિરીક્ષણ અને ક્લિયરન્સ પછી ફ્લાઇટ ફરી શરૂ થઈ હતી.
આપણ વાંચો : અમેરિકાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં કોલકાતામાં ટેકનિકલ ખામી સર્જાઇ, પ્લેન ખાલી કરાવાયું…