આમચી મુંબઈમહારાષ્ટ્ર

હરિયાણા ચૂંટણીના પરિણામો મહારાષ્ટ્રમાં ભાજપનું મનોબળ વધારશે, કોંગ્રેસ સોદાબાજીની ધાર ગુમાવી શકે છે: વિશ્ર્લેષકો…

મુંબઈ: રાજકીય વિશ્ર્લેષકોના મતે હરિયાણાની જીત ભાજપનું મનોબળ વધારશે અને આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિની બેઠકોની વહેંચણીની વાટાઘાટોમાં તેની સોદાબાજીની શક્તિમાં વધારો કરશે.

તેનાથી વિપરીત મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ બેઠકો પર વિજય મેળવનારી કોંગ્રેસ મહાવિકાસ અઘાડીની બેઠકોની વહેંચણીની ચર્ચામાં પોતાની ધાર ગુમાવી શકે છે.

ભાજપે હરિયાણામાં અત્યાર સુધીમાં સૌથી વધુ બેઠકો સાથે હેટ્રિક તરફ આગળ વધ્યું છે અને નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવાની તૈયારીમાં છે, બંને જગ્યાએ મતદારોએ વિજેતાઓને સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો.

રાજકીય વિશ્ર્લેષક અભય દેશપાંડેએ કહ્યું હતું કે, બેઠકોની-વહેંચણીની વાટાઘાટો દરમિયાન (મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિની) લોકસભા ચૂંટણીમાં નબળા પ્રદર્શનને કારણે શરૂઆતમાં ભાજપ પર સાથીઓનું દબાણ વધ્યું હતું.

જો કે, હરિયાણાનું પ્રદર્શન એ સંદેશ આપશે કે ભાજપે સામાન્ય ચૂંટણીઓમાં પલટવારથી પુનરાગમન કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં, દિવાલ પર બેઠેલા રાજકારણીઓ વિરોધ પક્ષ એમવીએ માટે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને છોડી દેવા બાબતે ફેરવિચાર કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

બીજી તરફ કોંગ્રેસે તેના સાથી પક્ષો એનસીપી (એસપી) અને શિવસેના (યુબીટી) સાથે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરતી વખતે ઝૂકતું માપ લેવું પડશે, એમ તેમણે ઉમેર્યું હતું.

જોકે, દેશપાંડેએ એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રનું રાજકીય લેન્ડસ્કેપ હરિયાણા કરતા અલગ છે.

ઉત્તરીય રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ હતી, પરંતુ મહારાષ્ટ્રમાં છ પક્ષો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, વંચિત બહુજન અઘાડી અને કેટલાક નાના પ્રાદેશિક પક્ષો પણ રાજકીય ક્ષેત્રે અસ્તિત્વ ધરાવે છે. વધુમાં હરિયાણાની વોટિંગ પેટર્ન મહારાષ્ટ્ર સાથે સરખાવી શકાય નહીં, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

દેશપાંડેએ ધ્યાન દોર્યું હતું કે હરિયાણામાં મરાઠા વિરુદ્ધ ઓબીસી અને ધનગર વિરુદ્ધ અનુસૂચિત જાતિના મુદ્દાઓ અસ્તિત્વમાં નથી.

આ જ્ઞાતિનાં સમીકરણો જટિલ છે અને પશ્ર્ચિમી રાજ્યમાં મતદાન પેટર્નને એક હદ સુધી અસર કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

રાજકીય વિવેચક પ્રકાશ અકોલકરે કહ્યું હતું કે, એમવીએએ કોંગ્રેસના ઉદાહરણમાંથી ઘણું શીખવાનું છે.

કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં તેના પ્રદર્શન પછી ઉત્સાહિત હતી અને કોંકણ જેવા પ્રદેશોમાં જ્યાં તેની હાજરી ઓછી છે ત્યાં પણ બેઠકો પર દાવો કરી રહી હતી. કોંગ્રેસે સમજવું જોઈએ કે લોકોનો આદેશ ચાર મહિનામાં બદલાઈ શકે છે. તેમણે સીટ-શેરિંગ વાટાઘાટોમાં બિનજરૂરી દાવા ન કરવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

હરિયાણામાં કોંગ્રેસની હાર પાછળ જૂથવાદ એક પરિબળ હોઈ શકે છે તેની નોંધ લેતા અકોલકરે કહ્યું હતું કે પાર્ટીને મહારાષ્ટ્રમાં તેનું ઘર સાચવતા આવડવું જોઈએ.

શિવસેના (યુબીટી) એ પણ ‘ગદ્દાર’ અને ‘વિશ્ર્વાસઘાત’નું પુનરાવર્તન કરવાને બદલે લોકોને તે શું આપી શકે છે તે જણાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના મતદારો હરિયાણામાં તેમના ભાઈઓની જેમ ‘વિભાજનકારી યુક્તિઓ’ને નકારી કાઢશે અને ડબલ એન્જિન સરકાર દ્વારા ઓફર કરાયેલી સ્થિરતા અને પ્રગતિ પર પસંદગી ઉતારશે.

એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે હરિયાણાના પરિણામો રાજકીય નેતાઓની ‘આઉટગોઇંગ’ અને ‘ઇનકમિંગ’ રાજકીય ચાલ પર ફેરવિચાર કરવાની ફરજ પાડશે. તેમણે કહ્યું કે ચૂંટણીના પરિણામોએ સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ સહયોગી શિવસેના, ભાજપ અને ડેપ્યુટી સીએમ અજિત પવારના નેતૃત્વમાં એનસીપીને ઉત્સાહિત કર્યા છે.

કોંગ્રેસના નેતાઓએ જો કે હરિયાણાની જેમ મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિ ચૂંટણીમાં સફળતા મેળવશે તેવી ધારણાને નકારી કાઢી હતી. વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલાએ જણાવ્યું હતું કે હરિયાણાના પરિણામોની મહારાષ્ટ્રની ચૂંટણીઓ પર કોઈ અસર થશે નહીં અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટી કેડરમાં નિરાશા નથી.

288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાય તેવી શક્યતા છે.

કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) અને શરદ પવારની એનસીપી (એસપી) સાથે રાજ્યમાં વિપક્ષ મહા વિકાસ અઘાડીનો ઘટક છે.

‘મહાવિકાસ અઘાડી (એમવીએ) એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારને પોતાની એકતાથી હરાવી દેશે અને કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણીના વલણોથી કોઈ નિરાશ થયું નથી, એમ મહારાષ્ટ્રના એઆઈસીસીના પ્રભારી ચેન્નીથલાએ અહીં જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં રાજકીય પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે.

દરમિયાન, જાલનામાં શ્રીકાંત શિંદેએ કહ્યું હતું કે હરિયાણાના પરિણામો કોંગ્રેસ અને જાતિવાદી રાજકારણમાં લિપ્ત વિપક્ષો માટે સ્પષ્ટ તમાચો છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ડબલ એન્જિન સરકારની સકારાત્મક અસર લોકો જોઈ રહ્યા છે. મને ખાતરી છે કે, મહારાષ્ટ્રની આગામી ચૂંટણીમાં પ્રતિબિંબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

શિંદેએ માઝી લાડકી બહેન યોજના, લેક લાડકી, યુવા કાર્ય તાલીમ યોજના, ખેડૂતો માટે મફત વીજળી અને મહાયુતિ સરકાર દ્વારા શરૂ કરાયેલી સોલાર એગ્રીકલ્ચર પંપ યોજના સહિત અનેક યોજનાઓની વાત કરી હતી.

લોકો છેલ્લા બે વર્ષમાં મહાયુતિના કામથી સંતુષ્ટ છે, અને મુખ્ય પ્રધાન વિપક્ષની ટીકા છતાં લોકો માટે સકારાત્મક પરિણામો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મને વિશ્ર્વાસ છે કે મહાયુતિ આગામી ચૂંટણીમાં નિર્ણાયક બહુમતી સાથે જીતશે, એમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું.

સંસદમાં શિવસેના વિધાયક દળના નેતાએ કોંગ્રેસ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર લોકસભા ચૂંટણી દરમિયાન જાતિ અને ધર્મના આધારે વિભાજનને વેગ આપવાનો આરોપ લગાવ્યો હતો.

2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી તેણે 288માંથી 105 બેઠકો મેળવી હતી, જ્યારે તેની તત્કાલીન સાથી શિવસેના (અવિભાજિત)એ છપ્પન બેઠકો જીતી હતી. (પીટીઆઈ)

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker