હવે મુંબઈ પ્રદૂષણ મુક્ત અને ખાડા મુક્ત: મુખ્યપ્રધાનસ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં મુંબઈગરા સહભાગી થયા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

હવે મુંબઈ પ્રદૂષણ મુક્ત અને ખાડા મુક્ત: મુખ્યપ્રધાનસ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં મુંબઈગરા સહભાગી થયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સૌ માટે સ્વચ્છતાનો આદર્શ સ્થાપિત કર્યો છે તેમાંથી પ્રેરણા લઈને મુંબઈને પ્રદૂષણ મુક્ત, સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું.


સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન (ડીપ ક્લિનિંગ ડ્રાઇવ) અંતર્ગત શિંદેની હાજરીમાં, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર વર્તુળોના ચાર વોર્ડમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ સ્વચ્છતા અભિયાન સવારે એન વોર્ડના અમૃત નગર સર્કલથી શરૂ થયું હતું. સફાઈ માટે મોજા પહેરીને મુખ્યપ્રધાને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. અમૃતનગર સર્કલ ખાતે તેમણે સફાઈ કામદારોનું સન્માન કર્યું હતું.


ત્યાર બાદ મુખ્યપ્રધાને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. એમ પશ્ચિમ વોર્ડના ડો. બાબાસાહેબ આંબેડકર ઉદ્યાન, તિલક નગર, ભૈરવનાથ મંદિર માર્ગ, એફ ઉત્તર વોર્ડમાં ભૈરવનાથ મંદિર માર્ગ ખાતે સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


વધારાના મેનપાવર સાથે વિવિધ પ્લાન્ટની મદદથી વોર્ડના ખૂણાઓ અને કોતરોની સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓની સાથે મુંબઈવાસીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.


મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ સ્વચ્છતા અભિયાન મુખ્યત્વે મુંબઈના શહેરોમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે હાથ ધરવામાં આવ્યું છે. સ્વચ્છતા અભિયાન માટે વધારાનું માનવબળ આપીને આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સંબંધિત લેખો

Back to top button