આમચી મુંબઈ

છેલ્લા મહિનામાં શહેરમાં ખાડા સંબંધિત ૩,૦૧૮ ફરિયાદ મળી

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાને છેલ્લા મહિનામાં શહેર અને ઉપનગરોમાં ખાડા સંબંધિત ૩,૦૧૮ ફરિયાદ મળી છે. આમાંથી લગભગ ૮૫ ટકા ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. જ્યારે ૪૭૪ ખાડા પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

બીએમસી એ દૈનિક નિરીક્ષણ કરવા ખાડાઓ ઓળખવા અને ૪૮ કલાકની અંદર સમારકામ સુનિશ્ચિત કરવા માટે ૨૨૭ વોર્ડ-સ્તરના સબ-ઇજનેરોને તૈનાત કર્યા છે. ડેટા મુજબ, બીએમસી ને પહેલી જુલાઈ, ૨૦૨૫ સુધીમાં નાગરિકો તરફથી ૧,૬૭૪ ફરિયાદો મળી હતી, જ્યારે નાગરિક ઇજનેરોએ તેમના સંબંધિત વોર્ડમાં ૧,૮૮૧ ખાડા શોધી કાઢ્યા હતા.

આપણ વાંચો: ભાજપના સર્વેથી શિંદે જૂથમાં ચિંતા મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ થવાના સંકેત?

વોચડોગ ફાઉન્ડેશનના સ્થાપક ગોડફ્રે પિમેન્ટાએ અંધેરી પૂર્વમાં સહર રોડ પર ખાડાઓ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ બીએમસીએ દાવો કર્યો હતો કે આ રસ્તો મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ હેઠળ આવે છે, અને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એ ફરી બીએમસી પર નિશાન સાધ્યું હતું. આ દોષારોપણના કારણે નાગરિકોએ શા માટે ભોગ બનવું જોઈએ?”

ફાઇટ ફોર રાઇટ ફાઉન્ડેશનના વિનોદ ઘોલપે જણાવ્યું હતું કે, “તાજેતરના ભારે વરસાદ પછી રસ્તાઓ પર ખાડા ફરી દેખાયા છે. અમને આશા છે કે પરિસ્થિતિ ખરેખર સુધરશે અને બધા રસ્તાઓ સંપૂર્ણપણે કોંક્રીટ થઈ ગયા પછી ખાડાઓ દૂર થશે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button