આમચી મુંબઈ

પુણેમાં એસટી બસ ઝાડ સાથે ટકરાતાં 25 પ્રવાસી જખમી

પુણે: ટ્રક સાથેના અકસ્માતથી બચવાના પ્રયાસમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ એક ઝાડ સાથે ટકરાતાં પચીસ પ્રવાસી જખમી થયા હોવાની ઘટના પુણેમાં બની હતી.

યવત પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર નારાયણ દેશમુખે જણાવ્યું હતું કે ઘટના રવિવારની સવારે દૌંડ તહેસીલના યવત નજીક સહજપુર ગામ ખાતે બની હતી. બસ સોલાપુર જિલ્લાના પંઢરપુરથી મુંબઈ આવી રહી હતી.

આગળ જઈ રહેલી ટ્રકના ડ્રાઈવરે એકાએક બ્રેક મારી હતી. ટ્રક અચાનક રસ્તા પર ઊભી રહી જતાં અકસ્માતથી બચવા ડ્રાઈવરે બસ એક તરફ વાળી દીધી હતી. બસ રસ્તા પરથી નીચે ઊતરીને ઝાડ સાથે ભટકાઈ હતી.

બનાવની જાણ થતાં યવત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં પચીસ પ્રવાસી ઘવાયા હતા, જેમાંથી ત્રણથી ચારને ગંભીર ઇજા થઈ હતી. ઘવાયેલાઓને સારવાર માટે લોણી કાળભોર સ્થિત ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો