મહારેરાએ દ્વારા 1,343 ફરિયાદોનો ઉકેલ

મુંબઈ: ઘર ખરીદનારાઓની ફરિયાદોને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા માટે મહારેરા દ્વારા સમાધાન (કાંકાઇલેશન) બેંચની રચના કરવામાં આવી છે. આ બેન્ચે અત્યાર સુધીમાં 1,343 ઘર ખરીદનારાઓની ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ કર્યું છે. હાલમાં રાજ્યમાં બાવન સમાધાન બેન્ચ દ્વારા 876 કેસોની સુનાવણી થઈ રહી છે.
આ ફોરમ મુંબઈ, પુણે, નાસિક, નાગપુર જેવી ઘણી જગ્યાએ કામ કરી રહી છે. મહારેરામાં આવતા ઘર ખરીદનારાઓની ફરિયાદો અંગે નિયમિત સુનાવણી હાથ ધરવામાં આવે છે. આ ફરિયાદીઓના તમામ અધિકારો અકબંધ રાખીને પ્રથમ સુનાવણીમાં સમાધાન બેંચનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
આ સમાધાન ફોરમમાં ગ્રાહક સંગઠનોના પ્રતિનિધિઓ, વિકાસકર્તાઓની સ્વ-નિયમનકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ફરિયાદકર્તાઓનો સમાવેશ થાય છે. ગ્રાહક સંગઠનો અને સ્વ-નિયમનકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ આ ક્ષેત્રમાં વરિષ્ઠ અને નિષ્ણાતો છે.
મહારેરામાં ફરી અપીલ કરી શકાશે
આ સમય દરમિયાન જો ગ્રાહક ઈચ્છે તો તે વકીલની મદદ પણ લઈ શકે છે, જ્યારે સમાધાન ફોરમ 60 દિવસની અંદર અને અસાધારણ કેસોમાં 90 દિવસની અંદર નિર્ણય લેવા માટે બંધાયેલ છે.
નોંધનીય બાબત એ છે કે સમાધાન ત્યારે જ થાય છે જ્યારે ફરિયાદી અને પ્રતિવાદી સમાધાનની શરતો અને જોગવાઈઓ સાથે સંમત થાય. મહારેરા આ સંબંધમાં તાત્કાલિક સુનાવણી અને હુકમ માટે તમામ પક્ષકારો દ્વારા સ્વીકારવામાં આવેલ સમાધાન સફળતા અહેવાલને લે છે.
જો સમાધાનની જોગવાઈઓ પૂરી ન થાય તો સંબંધિત ફરિયાદી મહારેરાને ફરી અપીલ કરી શકે છે. કારણ કે ફરિયાદીની સંમતિ વિના મહારેરા તરફથી ફરિયાદ રદ કરવામાં આવતી નથી. ફરિયાદની વરિષ્ઠતા યથાવત્ છે. મહારેરાની ફરિયાદ મેરિટના આધારે સાંભળવામાં આવે છે.