મેટિની

સાત્વિકમ્‌‍ શિવમ્ : માફી ભૂલ કરનારને મળે… ચાલાકી કરવાવાળાને નહીં…

  • અરવિંદ વેકરિયા

સેન્સરબોર્ડ માટે બધા સાબદા થઈ ગયા હતા. સૌથી વધુ એક્ટિવ’ તારકનાથ ગાંધી હતાં. એમને અમદાવાદમાં પોતાનું ઘર. અહીં બોરીવલીમાં રહેતા. છેલ્લે-છેલ્લે તો એ અમદાવાદમાં જ રહેલાં. અમારા શો માટે અમદાવાદ મુખ્ય મથક. એમનોક્વોટા’ ત્યારે અહીં બિન્દાસ મળી રહેતો. આ તો મોસાળમાં જમવાનું અને મા પીરસનારી જેવો ઘાટ હતો. મૂળ ત્યાં રહેલા અને નીડર પત્રકાર એટલે દરેક `પ્રેસ’ સાથે ઘરોબો સારો. વધુ શોનું લાઈસેન્સ મળી જાય અને શો સારા જાય તો એમને તો ઘેર બેઠા ગંગા.

એમણે બધાને બોર્ડના અધિકારીઓ સાથે વાત કરવાની ના’ કહી દીધી હતી. બધા સવાલોના જવાબ એ આપશે. નાટકનાં લેખન અને કોઈ સાહિત્યિક જવાબોની અનિવાર્યતા જણાય તો જ મારે કે ઈમ્તિયાઝે મોઢું ખોલવાનું એવી પણ તાકીદ કરી દીધેલી. એમનું માનવું હતું કે તમે જવાબ આપવામાં સી.એ. અને બી. કોમ. જેવો લોચો મારશો. મેં ફરક પૂછ્યો તો કહે,તમે સી.એ. અને બી.કોમ. બંનેને સવાલ પૂછો કે એક ઓવરમાં કેટલા બોલ હોય છે? બી.કોમ. વાળો કહેશે કે છ બોલ હોય, જયારે સી.એ. વાળો કહેશે કે બોલ એક જ હોય છે, છ વાર નાખવામાં આવે છે. આપણે જવાબ આપવામાં સમયસૂચકતા અને પરફેક્શન રાખવાના છે.’ એમના ઉદાહરણનો `જોક’ મને ગમ્યો. બધા સાંજની રાહ જોવા લાગ્યા.

હું હરી ફરીને નરહરિ જાનીને એની આંગિક ચેષ્ઠા ઉપર સંયમ રાખવાનું કહેતો રહ્યો. જાની એ વિશે ખાત્રી તો આપતો હતો પણ તખ્તા ઉપર આટલાં શો થી જે કરતો આવ્યો હતો એને કંટ્રોલ કરવું મુશ્કેલ હતું એ હું પણ સમજતો હતો. મન મોટું રાખી માફ’ કરતાં શીખવું પડે. માફીનાં હકદાર ભૂલ કરવાવાળા હોય છે, ચાલાકી કરવાવાળા નહીં. હવે તો રાત્રેઅભિનયનો રથ’ તખ્તે ગોઠવાય અને બોર્ડ’ના વૃંદ સામે તીર છૂટે એટલે ખબર પડે. જો કે જરા વધારે પડતું મહત્ત્વ આબોર્ડ’ને આપતા હતા એવું મને લાગતું હતું. નિર્માતા અને કલાકારોને શો ની `લાઈન’ મળી જાય એ સ્વાર્થ હતો, બસ!

રાત્રે મોટાભાગનો મોરચો તારકનાથ ગાંધી સંભાળી લેવાના હતા ને કદાચ જરૂર પડે તો…મારે અને ઈમ્તિયાઝે બોલવાનું હતું. અમે તો નક્કી કર્યું હતું કે કદાચ આપણે વચ્ચે કૂદવું પડે તો ગોળ-ગોળ વાત કરવાને બદલે સાચે-સાચું બોલી દેવું.
સાચું બોલનારને અસત્યની ખબર ન હોય એવું બને, પરંતુ અસત્ય બોલનારને તો સો ટકા સત્યની ખબર હોય જ છે. અમે સત્યની સાથે રહેવાનું નક્કી કરી લીધું બાકી તારકનાથ ગાંધી એમના અનુભવે જે પક્ષે જવું હોય ત્યાં જાય.
રાત્રે શો લગભગ હાઉસ ફૂલ' હતો. ત્યારે પ્રેમાભાઈમાંવાલા’ અમાં બુકિગ સંભાળતા અને ધનજી સોલંકી એમની સાથે. ત્યારે ત્યાં `વાલા’ની મોનોપોલી હતી એવું સ્થાનિક નિર્માતા કહેતા.

રાત્રે શો શરૂ થયો. સેન્સરબોર્ડનાં સભ્યો બધા આવી ગયા હતા. નાટકનો પહેલો અંક તો ખૂબ જોરદાર ગયો. હા, જાની ઘણી જગ્યાએ સંયમ જાળવી શક્યો નહોતો. અમુક એનાં જેસ્ચરે મને ચિંતામાં નાખી દીધો. મગજમાં એ વસ્તુ ન કરવા જડબેસલાક `બેસાડી’ દીધેલું પણ મગજ શ્રેષ્ઠ નોકર છે, પણ જો એને કાબૂમાં ન રાખો તો એ ખતરનાક માલિક બની જાય, અહીં એવું જ થતું હતું.

પહેલો અંક ચાબુક’ ગયો. તારકનાથ ગાંધી અંદર આવ્યા, અભિનંદન આપ્યાં. કહ્યું કે બોર્ડના અમુક સભ્યો અત્યારે ડિસ્કસ કરી રહ્યાં છે. નાટક પૂરું થયા બાદ મળવા આવશે. જીવ પાછો પડીકે બંધાણો. નાટક આપણું, કલાકારો આપણા, આવવા-જવાનું-રહેવાનું બધું આપણે નક્કી કરેલું, પણ લાઈસન્સનીફાઈનલ’ એપ્રુવલ આ બોર્ડ નક્કી કરે… પણ આ જ સાચી રીત છે. તમે વધુ પડતું ઉઘાડું રજૂ કરી દો, જેની તમને કદાચ ખબર ન પણ હોય એ સમાજમાં રજૂ થઈ જાય તો? ચા સીધી પીઓ તો ભૂકી પણ આવે. ભૂકી દૂર કરવા ગળણી વાપરવી જ પડે. એવું જ છે આ… બોર્ડ ગળણી’નું કામ કરે છે, જેથી સમાજ ચોખ્ખી ચા પી શકે. તમારી દ્રષ્ટિએ ભલે તમે 100 ટચનું સોનું રજૂ કરો, પણ તમારી નજરે. એમાં આવતાભુકીના કદડા’ને આવી બોર્ડ રૂપી ગળણીથી દૂર કરવા જ પડે. મેં કર્યું છે…પરફેક્ટ કર્યું છે..’ એ અભિમાન દૂર કરવા તો આવા બોર્ડની રચના થઈ છે, પછી એ નાટકની જીવંત પ્રસ્તુતિ માટે હોય કે ચલચિત્રની દુનિયા માટે. ભલભલાનું ઘમંડ ખોટું હોય તો તૂટવું જ જોઈએ. પડછાયાને અભિમાન હતું તડકો રોકી રાખવાનું પણ અંધારું થયું ને પોતે જ ખોવાઈ ગયો. આમ ચીતરી ચડી જાય એવું અંધાં પથરાય એ પહેલાબોર્ડ’ રૂપી અજવાળાએ સાચો રસ્તો બતાવી દેવો પડે.!

નાટકનો બીજો અને પછી ત્રીજો અંક ખડખડાટ’ સાથે પૂરા થયા. હવે ચિંતા મહાનુભાવોની રાહ જોવાની જે ગાંધી લઈને આવવાના હતા. હવે જરૂર હતી નૈતિક શક્તિની. આમ પણ સહનશક્તિ જીવનમાં ખૂબ જરૂરી છે કેમ કે ક્યારેક તાકાત અને મોકો હોવા છતાં જતું કરવું એ ખૂબ અઘરું હોય છે અનેસત્તા આગળ શાણપણ નકામું હોય છે.’ એ લોકો ઓથોરિટી’…તમે એમનેચેલેન્જ’ કઈ રીતે કરી શકો? કરી શકાય, પણ પછી એનાં રીએક્શન આપણા ગમતાં જ આવે એની ગેરંટી કેટલી? મોટા મોટા હોદ્દા, સાહિત્યકાર તરીકેની નામના. એ લોકો પોતાના ઢંકાયેલા અહમ સાથે જ સામે આવવાના. વિષયને લગતી પ્રતિક્રિયા માટે દલીલો થઈ શકે, પણ સમાજને આવું ઉઘાડું ન દેખાડી શકાય… ગુજરાત સંસ્કારની સરિતા છે, આવા કચરાથી એને મેલી કેવી રીતે કરી શકો?’ આવા કેટલાય પ્રશ્નો એમના તરફથી ઊઠશે…આવું તોફાન મનમાં ચાલતું હતું.

આપણ વાંચો:  સ્ટાર-યાર-કલાકાર : વડા પ્રધાન પાસે પણ નાટક કરાવનાર એક અલગારી કલાકાર હબીબ તન્વીર

આમાં દુકાળમાં અધિકમાસ જેવું કામ નરહરિ જાનીથી પણ થઈ ગયું. આંગિક સંયમ ન રહ્યો એટલે વાત વધુ ઉઘાડી' અને પેલા લોકોની નજરે કદાચસમાજ માટે બીભત્સ’ પણ હોઈ શકે…

ડબ્બલ રિચાર્જ

કોઈને કહો કે બ્રહ્માંડમાં 300 અબજ તારા છે તો માની લેશે પણ એને એમ કહો કે `બાંકડાનો કલર તાજો છે, બેસતો નહીં તોય એ આંગળી તો અડાડશે જ…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button