મેટિની

ક્લેપ એન્ડ કટ..!`લાલ પરી’ પણ ચોરાયેલી છે?સિદ્ધાર્થ છાયા

  • સિદ્ધાર્થ છાયા

બોલિવૂડ પર ચોરીના આરોપ લાગવાના સમાચાર હવે આઘાત પહોંચાડતા નથી. વાર્તા અને `સ્ક્રિપ્ટ’ તેમ જ ગીતો અને તેની ધૂનો ચોરી થઇ હોવાનું વારંવાર સાંભળવા મળે છે.

જોકે હવે એક અનોખા પ્રકારની ચોરીનો બનાવ સામે આવ્યો છે. અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ હાઉસફૂલ ફાઈવ'ના હીટ ગીતલાલ પરી’ પર મોટો આરોપ મૂકવામાં આવ્યો છે.

સંદીપ બ્રાહ્મીન નામના એક કોરિયોગ્રાફરે એવો દાવો કર્યો છે કે લાલ પરી' માં જે સ્ટેપ્સ છે એ ઓરીજીનલી એના છે. સંદીપનું કહેવું છે કે જ્યારે યુટ્યૂબ ઉપર લાલ પરી’ ગીત આવ્યું ત્યારે એ જોઇને એના અસંખ્ય પ્રશંસકોએ એને ઇન્સ્ટાગ્રામ'માં મેસેજ કરીને કહ્યું કેઆ તો તમારા સ્ટેપ્સ છે.’ સંદીપ બ્રાહ્મીનનો દાવો છે કે આ પ્રકારના મેસેજીઝ આવ્યા બાદ એણે પણ આ ગીત ધ્યાનથી જોયું તો એને પણ વાતમાં દમ તો લાગ્યો.

ત્યારબાદ સંદીપે આ ગીતના મૂળ કોરિયોગ્રાફર રેમો ડી’સુઝાને સંદેશ મોકલાવીને પણ પોતાનો દાવો એમની સમક્ષ રજૂ કર્યો.

સંદીપની માગણી છે કે એના સ્ટેપ્સ ચોરી કરેલા' હોવાથી ફિલ્મના નિર્માતાઓએ તેને ક્રેડિટ આપવી જોઈએ. હાલ તો એવું લાગે છે કેહાઉસફૂલ’ ફ્રેન્ચાઇઝીના નિર્માતાઓ કે પછી રેમો ડી’સુઝાએ ક્રેડિટ આપવાની તો દૂર પણ સંદીપ બ્રાહ્મીનને એના દાવાનો જવાબ આપવા સુધ્ધાંની તસ્દી લીધી નથી.

લો, અનુરાગ ને એકતા બાખડ્યાં..!

અનુરાગ કશ્યપ અને એકતા કપૂર એટલે જાણે કે આગ અને કેરોસીન…સોરી… ઘી જેવા છે. જેમ આગ અને ઘીને આજુબાજુમાં ન રખાય એમ આ બંનેને સાંકળે એવું કોઈએ કશું બોલવું ન જોઈએ, પરંતુ જો આ બંનેને એકબીજા સામે તલવારો લઈને ઊભા કરી દે એવું સ્ટેટમેન્ટ `નેટફ્લિક્સ’ના મોટા સાહેબ આપી દે તો પછી તો….

નિખિલ કામતના પોડકાસ્ટમાં નેટફ્લિક્સ'ના સીઈઓ ટેડ સેરેનડોસે કાંઈક એવું નિવેદન આપી દીધું કેઅમે જ્યારે ભારતમાં નેટફ્લિક્સ'ને લોકલ ક્નટેન્ટ આપવા માટે રેડી કર્યું ત્યારે (કશ્યપની)સેક્રેડ ગેમ્સ’ જેવી સિરીઝ કરવાને બદલે કોઈ લોકપ્રિય શો કર્યો હોત તો જરા સાં રહેત…’

પત્યું! અનુરાગ કશ્યપને તો આટલું જ જોઈતું હતું. એણે સેરેનડોસ પર કટાક્ષ કરતાં કહી દીધું કે, `તો તો બહેતર રહેત કે તમે (મારા શોને બદલે) સાસ-બહુની સિરિયલોથી શરૂઆત કરત.’

આમ તો અનુરાગે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ એકતા કપૂર જે સાસ-બહુ' સિરિયલની જનેતા છે એને કદાચ એમ લાગ્યું કે અનુરાગનું ઉડતું તીર એના માટે જ છે. પછી તો એકતાએ એક લાંબીલચક ઇન્સ્ટા સ્ટોરી લખી નાખી જેમાં એણેઅનુરાગને મૂર્ખો અને ભારતીય દર્શકોનું અપમાન કરનારી વ્યક્તિ’ પણ કહી દીધી!. હવે સાસ-બહુ સિરિયલો ટીકા ભારતીય દર્શકનું અપમાન કેવી રીતે થાય એ તો એકતાને જ ખબર! બાકી અનુરાગ કશ્યપે હજી સુધી એકતાને કોઈ જવાબ નથી આપ્યો.

આ વિવાદ વચ્ચે એ સમાચાર પણ આવ્યા છે કે નેટફ્લિકસે' એકતાનીબાલાજી ટેલિફિલ્મ્સ’ સાથે કરાર કર્યા છે ! અરે, એ તો મૈં ભૂલ ગયા થા! આમિરને છેક હવે યાદ આવ્યું કે `પાયરસી ભી એક ચીઝ હૈ!’

બોલિવૂડમાં બધાની યાદશક્તિ બહુ નબળી હોય છે. આપણા મોટા મોટા કલાકારો અને નિર્માતાઓ બોલિવૂડને પરેશાન કરતી બાબતોને ત્યાં સુધી ભૂલી જતા હોય છે જ્યાં સુધી એમનો `વારો’ ન આવે.

આમિરની સિતારે ઝમીન પર' રિલીઝ માટે તૈયાર છે અને એવા સમયે જ આમિરને યાદ આવ્યું કેઅલ્યા, પાયરસીનો રોગ તો બોલિવૂડ માટે કેન્સર જેવો છે!’

હાલમાં આમિરે કહ્યું છે કે પાયરેટેડ માધ્યમો દ્વારા કોઇપણ ફિલ્મ ન જોવી જોઈએ. આ માટે આમિરે એક ઉદાહરણ આપતાં કહ્યું કે તમે ઈલેક્ટ્રોનિક સ્ટોરમાં જાવ છો તો શું ટીવી ચોરીને ઘરે આવી જાવ છો? તો પછી થિયેટરને બદલે પાયરેટેડ માધ્યમોનો ઉપયોગ કરીને ફિલ્મો કેમ જુવો છો?

આપણ વાંચો:  ફ્લૅશ બૅક : `હર હર મહાદેવ’થી ધાર્મિક ચિત્રપટનો દસકો

વાત મુદ્દાની ખરી, પરંતુ આ મુદ્દાની વાત આમિરને ત્યારે જ કેમ યાદ આવી જ્યારે એની પોતાની જ ફિલ્મ આવતા શુક્રવારે રિલીઝ થવાની છે? આમ તો દર શુક્રવારે બીજાની ફિલ્મો રજૂ થતી જ હોય છે !

આમિરની વાત બાજુમાં રાખીએ તો ખરેખર પાયરસીએ આપણા ફિલ્મ ઉદ્યોગ માટે ઊધઈ જેવી છે. હાલમાં જ સલમાન ખાનની `સિકંદર’ રિલીઝ થયાના બે દિવસ અગાઉ અઢી હજાર જેટલી વેબસાઈટ્સ પર આવી ગઈ હતી, જેણે ફિલ્મને ફ્લોપ કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો.

કટ એન્ડ ઓકે..

ભંગાર સ્ક્રિનપ્લે ઉપરાંત તમિલમાંથી ક્નનડ ભાષા જન્મી છે એવો દાવો કરવાને લીધે પોતાની ફિલ્મ `ઠગ લાઈફ’ મહાફ્લોપ જવાથી હવે કમલ હસન ફરીથી દક્ષિણના રાજ્યો પર હિન્દી ન લાદવાના પોતાના મૂળ એજન્ડા પર ઊતરી આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button