મેટિની

ક્લેપ એન્ડ કટ..! ઃ આમિર ખાનના સિતારા યુટયૂબ પર…

-સિદ્ધાર્થ છાયા

આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ 20 જૂને થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આમિર આમ પણ પોતાની ફિલ્મોના વિષયની પસંદગીને લઈને ‘ચીકણો’ હોવાની ચર્ચા સામાન્ય છે. જોકે, હવે આમિરે પોતાની આ ફિલ્મને વધુને વધુ દર્શકો સુધી પહોંચાડવા માટે સાવ અલગ જ વિકલ્પની પસંદગી
કરી છે.

સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મો હીટ જાય કે ફ્લોપ પણ ચારેક મહિના બાદ કોઈને કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળી જ જાય છે. આને લઈને આમિરનો વિચાર સાવ અલગ છે. આમિરનો વિચાર એવો છે કે એની આ આવનારી ફિલ્મ કોઈ ઓટીટી પર નહીં પરંતુ યુટ્યૂબ પર આવે.
હવે આમ કેવી રીતે થશે એ સમજીએ. ‘સિતારે ઝમીન પર’ થિયેટરમાં રિલીઝના આઠ અઠવાડિયા બાદ યુટ્યૂબ ઉપર આવશે, તો યુટ્યૂબ પર આ ફિલ્મ કેવી રીતે જોઈ શકાશે? તો આમિરે આના માટે ‘પે-પર-વ્યૂ’નો આઈડિયા લગાવ્યો છે. એટલે કે ઓટીટી પર આપણે જે મહિને, છ મહિને કે વર્ષે એક વખત સબસ્ક્રિપ્શન ભરીને મન ભરીને ફિલ્મ જોઈ શકતા હતા એવું અહીં નહીં થાય. અહીં તમારે ‘સિતારે ઝમીન પર’ જેટલી વખત જોવી હશે એટલી વખતે નક્કી કરેલા પૈસા ભરવા પડશે.

આમિર ખાનનો આ નિર્ણય યોગ્ય છે કે નહીં અથવા તો સફળ જશે કે નહીં એ તો સમય આવ્યે ખબર પડશે, પરંતુ તે ક્રાંતિકારી જરૂર છે. શક્ય છે કે આપણે ભવિષ્યમાં આ રીતે ‘પે-પર-વ્યૂ’ દ્વારા અન્ય ફિલ્મો પણ જોવા લાગીએ !

સોનુ, તને પોલીસ પર ભરોસો નહીં કે?

સોનુ નિગમે થોડા સમય અગાઉ બેંગલૂરુમાં એક કોન્સર્ટ આયોજિત કર્યો હતો. આ કોન્સર્ટમાં સોનુની એક ટિપ્પણીએ એને તકલીફમાં મૂકી દીધો છે. વાત એમ બની હતી કે સોનુના કોન્સર્ટ દરમિયાન દર્શકોમાંથી ‘ક્ધનડ કન્નડ’ એવી બૂમો પડી હતી. એનો સીધો અર્થ એ હતો કે સોનુ નિગમને ક્ધનડમાં ગીત ગાવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ સોનુ નિગમે તેનો અવળો અર્થ લઈને તેને હાલમાં પહેલગામ ખાતે બનેલી આતંકવાદી ઘટના સાથે જોડી દીધું. એવું નથી કે સોનુ નિગમને ક્ધનડમાં ગીત ગાતા નથી આવતું. સોનુએ ક્ધનડ ભાષામાં અનેક પણ વધુ ગીતો ગાયા છે.

અને તેમાંથી અમુક તો યાદગાર બની ગયા છે, પરંતુ સોનુની એ ટિપ્પણીથી કર્ણાટકની એક ડિસ્ટ્રીક્ટના પ્રમુખ ધર્મરાજ એ.ની લાગણી આહત થઇ ગઈ છે. ધર્મરાજભાઈએ બેંગલૂરુના અવલાહલ્1લી પોલીસ સ્ટેશનમાં સોનુ નિગમ વિરુદ્ધ એફ.આઈ.આર નોંધાવી દીધી છે. આ ફરિયાદમાં સોનુ વિરુદ્ધ શાંતિનો ભંગ, જાહેરમાં તોફાન કરવા માટે પ્રેરિત કરવા, અને ક્ન્નાડીગા સમાજનું અપમાન કરવું અને ભાવનાત્મક રીતે તેમની ઉશ્કેરણી કરવા જેવા આરોપ મુકવામાં આવ્યા છે. આ ફરિયાદ બાદ કર્ણાટક પોલીસે સોનુને ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોતાનું નિવેદન લખાવવાની નોટિસ ફટકારી છે.

સોનુ ત્યાં જશે કે નહીં તે ખબર નથી, પરંતુ એણે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબીલચક પોસ્ટ લખીને ક્ધનડ લોકોની માફી જરૂર માગી લીધી છે. તો એનો અર્થ એવો થાય કે સોનુને કર્ણાટક પોલીસ ઉપર ભરોસો નથી? સોચો… સોચો!

આ વળી નવું ….ત્રીજી ‘હેરાફેરી’નું ટીઝર ઈંઙકમાં !

સુનીલ શેટ્ટી હાલમાં બહુ બિઝી છે. એની આવી રહેલી ફિલ્મ ‘કેસરી વીર’ના પ્રમોશનમાં તો તે વ્યસ્ત હોવા છતાં એના જણાવ્યા મુજબ ‘હેરાફેરી’ના ત્રીજા ભાગનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે. તેનું ટીઝર પણ તૈયાર થઇ રહ્યું છે. સુનીલ શેટ્ટીના કહેવા અનુસાર હાલમાં ચાલી રહેલી ઈંઙક દરમિયાન જ ‘હેરાફેરી-3’નું ટીઝર આપણને બધાને જોવા મળશે.

સુનીલ શેટ્ટીએ ઉમેર્યું છે કે ‘હેરાફેરી’ ફ્રેન્ચાઇઝીની ટીમ ભલે એક છે, પરંતુ તેની વાર્તા સાવ અલગ છે. અત્યારસુધી ‘હેરાફેરી’ ના બે ભાગ 2000 અને 2006માં આવી ગયા છે, પરંતુ ફક્ત તેનો પહેલો ભાગ પ્રિયદર્શને ડીરેક્ટ કર્યો હતો.

આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : થિયેટરમાં ભીડ થઇ તો ગઈ છે, પણ…

એક રીતે જોવા જઈએ તો ‘હેરાફેરી’ ફ્રેન્ચાઇઝીના ફેન્સમાં અત્યારથી જ રાજુ, શ્યામ અને બાબુરાવને મળવાની ઇન્તેજારી છે, કારણકે આ ત્રીજા ભાગનું ડિરેક્શન પણ પ્રિયદર્શન જ કરવાના છે.

કટ એન્ડ ઓકે..કટ એન્ડ ઓકે..
‘બબીલે વિવાદાસ્પદ વીડિયોમાં જે કહ્યું છે તે આખો જોઇને તમારું મંતવ્ય નક્કી કરો, પ્લીઝ.’

  • પોતાના સાથીદારો વિશે
    એક વીડિયોમાં વટાણા વેરી નાખનારા ઈરફાન ખાનના પુત્ર બબીલના બચાવમાં આવ્યો એનો પરિવાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button