ફટા પોસ્ટર, નિકલા… : મોટા સ્ટાર્સની સાચી-ખોટી `સંઘર્ષ’ કથા!

- મહેશ નાણાવટી
અમિતાભ બચ્ચન પોતાના પિતાશ્રી હરિવંશરાય બચ્ચન વિશે એક વાત વારંવાર કહેતા હોય છે કે એક જમાનામાં જ્યારે પોતે ઉંમરમાં નાના હતા ત્યારે પિતાજી કોઈ કવિ સંમેલનમાંથી મોડી રાત્રે ઘરે પાછા આવે ત્યારે ઊઠીને દરવાજો ખોલવાની જવાબદારી અમિતાભની રહેતી હતી. તે વખતે અમિતાભ પિતાજીને પૂછતા : કુછ મિલા?' મતલબ કે કંઈ પુરસ્કાર મળ્યો? ત્યારે હરિવંશરાયજી કોટના ખિસ્સામાંથી કાઢીને કવર આવતા, જેમાં બહુ મામૂલી રકમ રહેતી હતી. ક્યારેક તો એ
કવર’ પણ નહોતું આવતું.
આવા દિવસોને યાદ કરીને અમિતાભ બચ્ચન કહે છે કે, હું બાબુજીને પૂછતો કે ઐસા કયું? ત્યારે બાબુજી કહેતા કે
મન કા હુઆ તો અચ્છા હૈ, મન કા ન હુઆ તો ઔર ભી અચ્છા હૈ!’
વાહ! આ કિસ્સો સાંભળીને આપણને એમ જ લાગેને, કે બિચારા એક કવિની જિંદગી કેટલી તકલીફથી ભરેલી હોય છે! આપણને એમ પણ વિચાર આવે કે ઓહોહો… આવી ગરીબાઈમાં ઉછરીને આપણા મહાનાયક આજે ક્યાંના ક્યાં પહોંચી ગયા! સલામ છે એમના સંઘર્ષને! બરોબર?
જોકે, એ પછી મોબાઈલમાં બેઠેલા ગુગલ' મહારાજનો કાન આમળીને પૂછપરછ કરો તો ખબર પડે છે કે સિનિયર બચ્ચન સાહેબ અલાહાબાદ યુનિવર્સિટીમાં સ્નાતક થયા પછી તરત જ છેક કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં
ઈંગ્લિશ લિટરેચર’ વિષયમાં પીએચ.ડી કરવા ગયા હતા!
ચાલો, માની લઈએ કે છેક કેમ્બ્રિજમાં ભણવાનો ખર્ચો કોઈ સ્કોલરશિપ વડે નીકળી ગયો હશે, પરંતુ એ અહીં પણ પાછા આવ્યા કે તરત ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી)માં પ્રોડયુસર તરીકેની સરકારી નોકરીમાં જોડાઈ ગયા હતા!
આપણને થાય કે હાસ્તો, સરકારી નોકરીમાં તો વળી શું પગાર હોય? પણ પછી જાણવા મળે છે કે સિનિયર બચ્ચન સાહેબ મિનિસ્ટ્રી ઓફ એકસ્ટર્નલ અફેર્સ' યાને કે વિદેશ મંત્રાલયમાં એટલા મહત્ત્વના પદે જોડાયા હતા કે
હિન્દી’ને રાષ્ટ્રભાષા બનાવવામાં એમનું મોટું યોગદાન હતું.
એ પછી 1966માં, જ્યારે આપણા મહાનાયક અભિનેતા માત્ર 23 વર્ષના હતા ત્યારે તો એમના પિતાશ્રીની રાજ્યસભાના સાંસદ તરીકે `નિમણૂક’ કરવામાં આવી હતી!
સૌ જાણે છે કે રાજ્યસભામાં `નિમણૂક પામવા માટે તમારી પાસે રાજકીય વગ હોવી જરૂરી છે. અહીં તો એ વગ જગજાહેર હતી, કેમ કે હરિવંશરાયજીનાં પત્ની તેજી બચ્ચનને પંડિત જવાહરલાલ નહેનાં સુપુત્રી ઈન્દિરાજી સાથે બહુ જૂના બહેનપણાં હતાં!
પછી જ્યારે આપણને એ પણ જાણવા મળે છે કે આપણો અમિતાભ અને ઈન્દિરાજીનો સુપુત્ર રાજીવ, બન્ને દરેહાદૂનની ખૂબ હાઈ-પ્રોફાઈલ રેસિડેન્સી કોલેજ `દૂન સ્કૂલ’માં સાથે ભણતા હતા!
એટલું જ નહીં અમિતાભના સગા ભાઈ અજિતાભ બચ્ચન પોતાની નિશાળનું ભણતર પૂરૂ કરીને નૈનિતાલની `શેર વૂડ’ કોલેજમાં ભણવા ગયા હતા!
હવે વિચારો, શું આ બધું પેલા મોડી રાતે કવિ સંમેલનથી પાછા ફરતા મહાન કવિના પુરસ્કારોમાંથી શક્ય બન્યું?
ના! પરંતુ જ્યારે આપણે મન કા હો તો ઠીક, મન કા ન હો તો ઔર ભી અચ્છા’વાળી કહાણી સાંભળીએ છીએ ત્યારે કેવા ઈમોશનલ થઈ જઈએ છીએ? સામાન્ય પ્રેક્ષકને આવી કહાણીઓ પીરસતા રહેવું પડે છે જેથી દરેકને લાગે કે પેલો મહાન સ્ટાર એક સમયેઆપણા જ જેવો હતો નહીં?
શાહરુખ ખાન માટે પણ એવું લખતા હોય છે કે દિલ્હીનો છોકરો મુંબઈની ટિકિટ લઈને ટે્રનમાં બેસી ગયો… અને બાકીનો ઈતિહાસ છે’ વગેરે. આવું વાંચીએ કે સાંભળીએ ત્યારે મનમાં એવી કલ્પના ઊઠે કે બિચારો શાહરુખ સેક્નડ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં ખભે ઝોલો નાખીને બારી પાસે બેઠો છે અને મનમાં વિચારી રહ્યો છે કેનીકળી તો પડ્યો છું, પણ મુંબઈમાં મારું શું થશે?’
પછી જ્યારે આપણને ક્યાંકથી જાણવા મળે છે કે શાહખ જ્યારે 10મા ધોરણમાં પાસ થયો હતો ત્યારે એના પપ્પાએ એને એક કેમેરો’ ભેટ આપ્યો હતો! કેમેરો? પછી ધીમેથી હિસાબ કાઢો તો ખ્યાલ આવે કે સાહેબ, જ્યારે મોબાઈલો નહોતા ત્યારે ફોટોગ્રાફી કરવામા કેમેરા પાંચેક હજારમાં મળતા હતા! જે પિતાજી પોતાના પુત્રને આવી મોંઘી ભેટ આપી શકે એ કંઈ મારા- તમારા જેવા મિડલ ક્લાસ પપ્પા તો નહીં જ હોય ને? પરંતુ ટે્રનની બારીએ બેઠેલો યુવાન શાહખનીઈમેજ’ સામાન્ય પ્રેક્ષકના દિમાગમાં ટકી રહે તેના ઘણા ફાયદાઓ હોય છે.
બેશક, અમિતાભ બચ્ચન અને શાહખ ખાને અહીં મુંબઈમાં પોતાનું આજનું સ્થાન બનાવવા માટે સખત મહેનત કરી છે, સંઘષ’ પણ કર્યો છે (બચ્ચન સાહેબનીઆનંદ’ પછીની સળંગ સાત ફિલ્મો ફલોપ થઈ હતી) પરંતુ ઘણીવાર સંઘર્ષ’ નેગરીબી’ સાથે બહુ સિફતથી જોડી દેવામાં આવે છે.
આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..!`લાલ પરી’ પણ ચોરાયેલી છે?સિદ્ધાર્થ છાયા
આવા કહેવાતા ગરીબી સાથેના સંઘર્ષની મજાક ઉડાડતા હોય તેમ પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા પિતાજી એટલા ગરીબ હતા કે અમારી પાસેટે્રકટર’ ખરીદવાના પૈસા નહોતા!’
અક્ષયકુમાર માટે પણ એવી કહાણી ચાલી રહી હતી કે એ તો એક જમાનામાં રેસ્ટોરન્ટમાં વેઈટર’ હતા! ખરેખર? પણગુગલ’ મહારાજને પૂછો તો કહે છે કે અક્ષયના પિતાજી આર્મીમાં ઓફિસર હતા. નિવૃત્ત થયા પછી મુંબઈમાં યુનિસેફ’ (આંતરરાષ્ટ્રીય સંસ્થા)માં ચીફ એકાઉન્ટન્ટ હતા! તો આવેઈટર’વાળી કહાણી ક્યાંથી આવી?
- તો વાત એમ છે કે (જે કહાણી પણ હોઈ શકે છે) કે અક્ષયકુમાર
કરાટે ચેમ્પિયન' અથવા
કીક બોક્સર’ બનવાની ટે્રનિંગ લેવા માટે જ્યારે થાઈલેન્ડ ગયા હતા ત્યારે એક સ્ટુડન્ટ તરીકે એમણે રેસ્ટોરન્ટમાં આ પ્રકારનું કામ કરેલું (કેમ કે આજે પણ વિદેશમાં વિદ્યાર્થી તરીકે રહેનાર વ્યક્તિ પોતાના દેશમાંથી બહુ ઓછી રકમ મગાવી શકે છે, પરંતુ જ્યારે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ અને ત્યાં આપણા અક્ષયકુમારનેવેઈટર' તરીકે ઈમેજિન કરીએ તો... કેટલું
સા’ લાગે છે, નહીં?!