મહારાષ્ટ્ર

શું છે મહારાષ્ટ્રના પિંપરીના ચમત્કારીક વૃક્ષનું રહસ્ય?

પૂણેના પિંપરી વિસ્તારમાં એક વૃક્ષના થડમાંથી અચાનક પાણી વહેવા લાગતાં લોકોમાં વિચારવિમર્શનો દોર શરૂ થયો. શ્રદ્ધાળુઓએ આ ઘટનાને ચમત્કાર માનીને પૂજા-અર્ચના શરૂ કરી, પરંતુ આ થવા પાછળની હકીકત તો કઈક અલગ જ નીકળી. ઘણા લોકો એ ચમત્કારને નમસ્કાર કર્યો તો, ઘણા લોકો આ થવા પાછળનું વિજ્ઞાન શોધવા લાગ્યા. આ ઘટનાએ જોર ત્યારે પકડ્યું જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો.

વાસ્તવમાં આખી વાત એમ છે કે, ગત શુક્રવારે પિંપરીના પ્રેમલોક પાર્ક વિસ્તારમાં એક વૃક્ષના થડમાંથી પાણી નીકળતું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા. સ્થાનિક લોકોએ આને પવિત્ર જળ ગણીને વૃક્ષને હળદર-કંકુ લગાવી, ફૂલહાર ચઢાવ્યા અને પૂજા શરૂ કરી. કેટલાકે દાવો કર્યો કે આ પાણી ઔષધીય ગુણ ધરાવે છે અને રોગોને મટાડી શકે છે. ટૂંક સમયમાં જ લોકોની ભીડ વૃક્ષના દર્શન માટે ઉમટી પડી.

પિંપરી-ચિંચવડ મહાપાલિકાએ તાત્કાલિક તપાસ હાથ ધરી. ખોદકામ દરમિયાન જાણવા મળ્યું કે ભૂગર્ભ પાઈપલાઈનમાં ભંગાણને કારણે વૃક્ષના થડમાંથી પાણી નીકળી રહ્યું હતું. આ ઘટનામાં કોઈ ચમત્કાર ન હોવાનું સ્પષ્ટ થયું. મહાપાલિકાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.

આપણ વાંચો:  બાન્દ્રા લિંક સ્કવેર મૉલ આગ: ફાયર સૅફટી સિસ્ટમમાં ખામી હતી, ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે મોડી પહોંચી હતી

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી. ઘણા લોકોએ અંધશ્રદ્ધા પર સવાલ ઉઠાવ્યા, જ્યારે કેટલાકે લખ્યું કે 21મી સદીમાં આવી માનસિકતા દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે. એક નેટીઝને ટિપ્પણી કરી કે જો આપણે વિજ્ઞાન અને શિક્ષણને અનુસરીએ તો જ દેશ આગળ વધી શકશે. આ ઘટના અંધશ્રદ્ધા સામે જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button