લોકસભાની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભાજપને હરાવી શકાય છેઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે આ વખતની ચૂંટણીમાં જીતેલા તેમના પક્ષના ઉમેદવારોને મળ્યા હતા અને જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામોએ બતાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હરાવી શકાય છે .
શિવસેના (યુબીટી)ના વિજેતા રાજાભાઈ પ્રકાશ વાજે (નાસિક બેઠક પરથી) અને સંજય દીના પાટીલ (મુંબઈ ઉત્તર પૂર્વ) ચૂંટણી પરિણામોની જાહેરાતના એક દિવસ બાદ બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
આ પણ વાંચો : આ શું બોલી ગયા ઉદ્ધવ ઠાકરે કે ભાજપના હોંશ ઉડી ગયા!
ઠાકરેએ કહ્યું હતું કે ચૂંટણીના પરિણામોએ બતાવ્યું છે કે ભાજપને હરાવી શકાય છે. તેને હરાવી શકાતી નથી તેવી દંતકથાનું ખંડન થયું છે. મંગળવારે, ઠાકરે તેમની પાર્ટીના દક્ષિણ મુંબઈ બેઠકના વિજેતા અરવિંદ સાવંત અને દક્ષિણ મધ્ય મુંબઈ બેઠકના વિજેતા અનિલ દેસાઈને મળ્યા હતા.
૫૪૩ સભ્યોની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૨૪૦ બેઠક જીતી હતી, જે બહુમતીથી ઓછી છે . ભાજપ તેના સાથી પક્ષોના સમર્થન સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે. શિવસેના (યુબીટી)એ લોકસભા ચૂંટણીમાં નવ બેઠકો જીતી હતી. મુંબઈ બહારના તમામ નવા ચૂંટાયેલા પક્ષના નેતાઓ ઠાકરેને મળવાની અપેક્ષા છે.