નાશિકમાં ખુલ્લા ખાડામાં પડી જતાં ત્રણ માસૂમના મોતઃ બિલ્ડર-કોન્ટ્રાક્ટર જેલભેગા | મુંબઈ સમાચાર

નાશિકમાં ખુલ્લા ખાડામાં પડી જતાં ત્રણ માસૂમના મોતઃ બિલ્ડર-કોન્ટ્રાક્ટર જેલભેગા

નાશિક: મહારાષ્ટ્રના નાશિકમાં એક બાંધકામ સ્થળે પાણી ભરેલા ખાડામાં પડી જવાથી ત્રણ કિશોરોના મોત થયા હતા, જેના પગલે એક બિલ્ડર અને એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

સાઈ ગોરખ ગરડ (૧૪), સાઈ હિલાલ જાધવ (૧૪) અને સાઈ કેદારનાથ ઉગલે (૧૩) રવિવારે સવારે ૧૧ વાગ્યાથી ગુમ થયા હતા. “ગુમ થયેલા લોકોની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આપણ વાંચો મહારાષ્ટ્ર વિધાનસભામાં નાસિક-ત્ર્યંબકેશ્ર્વર કુંભ મેળા ઓથોરિટીની સ્થાપના માટે બિલ રજૂ કરવામાં આવ્યું

બાદમાં, પોલીસ ટીમને ખાડા પાસે તેમના કપડાં મળી આવ્યા, ત્યાર બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા,” અદગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

વિસ્તારના રહેવાસીઓએ રસ્તો રોકીને કરીને વિરોધ દર્શાવ્યો હતો અને ખાડો ખુલ્લો રાખનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બિલ્ડર વિજય શેખલિયા અને કોન્ટ્રાક્ટર આકાશ ગાયકવાડની ભારતીય ન્યાય સંહિતા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button