મહારાષ્ટ્ર

માતા રમાઈ આંબેડકરના બેનરના અનાદરને કારણે કોપરગાંવમાં તણાવ

રાહતા: કોપરગાંવ શહેરમાં ગઈ કાલે વહેલી સવારે માતા રમાઈ આંબેડકર જયંતિ નિમિત્તે લગાવેલા બેનરનું અપમાન કરવાની ઘટનાને કારણે તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાના વિરોધમાં ભીમ સૈનિકો અને મહિલાઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારક સામે ધરણા શરૂ કર્યા હતા. ગુસ્સે ભરાયેલા નાગરિકોએ કોપરગાંવ બંધનું એલાન કર્યુ હોવાથી સમગ્ર શહેરમાં કડક બંધ પાળવામાં આવ્યું હતું, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું હતું.

આ પણ વાંચો: પંજાબમાં આંબેડકરની પ્રતિમાને તોડવાનો પ્રયાસઃ તપાસ માટે આઠવલેએ કરી માંગણી

ગુસ્સે ભરાયેલા ભીમ સૈનિકોએ બસ સ્ટેશન વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરતા સમગ્ર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય મુસાફરોને ભારે નુકસાન થયું, જાહેર પરિવહન પર અસર થવાને કારણે નાગરિકોને ભારે અસુવિધા થઈ હતી. તેમજ શહેરની તમામ રિક્ષાઓ બંધ કરી દેવામાં આવી છે. બેનરના અનાદરને કારણે આંબેડકર સમુદાયના નાગરિકોમાં તીવ્ર રોષ હતો. કોપરગાંવ શહેરના સાંઈબાબા કોર્નર ખાતે અહિલ્યાનગર-મનમાડ હાઇવે પર મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું અને મોટા પાયે સૂત્રોચ્ચાર કર્યા હતા. રોડ બ્લોક થવાથી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

છેલ્લા પાંચ દિવસમાં રમાબાઈ આંબેડકર અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના બેનરને ફાડી નાખવાની અને અપવિત્ર કરવાની આ બીજી ઘટના હોવાથી લોકો આક્રમક બન્યા છે. ઘટનાસ્થળે મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button