કોકાટેએ રાજીનામું આપવું જોઈએ: સુપ્રિયા સુળે | મુંબઈ સમાચાર

કોકાટેએ રાજીનામું આપવું જોઈએ: સુપ્રિયા સુળે

પુણે: એનસીપી (એસપી)ના લોકસભા સાંસદ સુપ્રિયા સુળેએ શનિવારે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેનું રાજીનામું માગ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘સંસદમાં દરેક વ્યક્તિ’ તેમની સાથે સંકળાયેલી ‘પત્તા રમવાની’ ઘટના વિશે પૂછપરછ કરી રહી છે.

રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે કોકાટે તેમના મોબાઇલ ફોન પર રમી ગેમ રમવા બદલ ટીકાનો સામનો કરી રહ્યા છે, જોકે તેમણે દાવો કર્યો છે કે તેઓ ઇન્ટરનેટ પર કંઈક ઍક્સેસ કરવા માટે ગેમની જાહેરાત હટાવી રહ્યા હતા.

આ પણ વાંચો: બંધારણની પ્રસ્તાવનામાં સુધારાના આરએસએસના આહ્વાનને સુપ્રિયા સુળેએ ફગાવી દીધું…

‘આ (રમીનો વિડીયો) અને અન્ય ઘણી ઘટનાઓએ મહારાષ્ટ્રને રાષ્ટ્રીય સ્તરે બદનામ કર્યું છે. સંસદમાં દરેક વ્યક્તિ આ ‘પત્તાં રમવા’ બાબતે પૂછી રહી હતી. કોકાટેએ નૈતિક ધોરણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈતું હતું, પરંતુ આ લોકોને રાજીનામું આપવાનું કહેવું પડશે. જ્યાં સુધી દિલ્હીથી હસ્તક્ષેપ ન થાય ત્યાં સુધી કોઈ રાજીનામું આપતું નથી,’ એમ સુળેએ કહ્યું હતું.
રાજ્ય સરકારની ‘લાડકી બહેન યોજના’ હેઠળ લાભોનો દાવો કરવા માટે 14,000 પુરુષોએ કથિત રીતે મહિલાઓ તરીકે રજૂ કર્યા હોવાના અહેવાલો વિશે પૂછવામાં આવતા, બારામતીના સાંસદે કહ્યું કે વિગતવાર તપાસ થવી જોઈએ.

ફોર્મ ભરવાની પ્રક્રિયાને સરળ બનાવનારી એજન્સીની એસઆઈટી, સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસ થવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: શક્તિપીઠ એક્સપ્રેસવે પર પુનર્વિચાર કરો, મહારાષ્ટ્રના નાણાકીય ખર્ચ પર ભાર પડશે: સુળે…

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની તાજેતરની હિંજેવાડીની મુલાકાત અને આ સમસ્યાઓના કારણે આઇટી કંપનીઓ હૈદરાબાદ અને બેંગલુરુ સ્થળાંતર કરી રહી છે તે સ્વીકારવા અંગે, સુળેએ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી આઇટી પાર્ક સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

‘મેં એવું પણ સૂચન કર્યું હતું કે જ્યાં સુધી ટ્રાફિકની સ્થિતિ ઉકેલાય નહીં ત્યાં સુધી કંપનીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button