મહારાષ્ટ્ર

શરદ પવારની તબિયત લથડી, ડૉક્ટરોએ બેડ રેસ્ટ કરવા કહ્યું, કાર્યક્રમો રદ્દ

શુક્રવારે અજિત પવાર અને શરદ પવારની થઈ હતી મુલાકાત

બારામતી: એનસીપીના અધ્યક્ષ શરદ પવારની બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાનની બેઠક દરમિયાન અચાનક તબિયત લથડી હતી. જો કે એ સમયે પહેલેથી ઉપસ્થિત ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી અને નિશ્ચિંત રહેવા આશ્વાસન આપ્યું હતું. તબીબો દ્વારા શરદ પવારને સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમના આગામી કાર્યક્રમો પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ પહેલી વાર નથી જ્યારે તેઓ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય, આ પહેલા પણ તેઓ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી ચુક્યા છે.

મહત્વનું છે કે દર વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે આખો પવાર પરિવાર આ જ રીતે બારામતીમાં મળે છે. આ વર્ષે શરદ પવારની તબિયત લથડી હોવાના કારણે તેમણે આ કાર્યક્રમ અધુરો છોડવો પડ્યો હતો. હાલ ડૉક્ટરે કહ્યું છે કે શરદ પવારની તબિયત સ્થિર છે. જો કે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.


આ પહેલા શુક્રવારે અજિત પવાર અને શરદ પવારની મુલાકાત થઈ હતી. આ મુલાકાત આશરે એક કલાક સુધી ચાલી હતી. આ મુલાકાતમાં શી ચર્ચા થઈ હતી એ સામે આવ્યું નથી. સુપ્રિયા સુલેના જણાવ્યા પ્રમાણે પ્રતાપ પવારના પત્નીના સ્વાસ્થ્યની ખબર પુછવા માટે પરિવાર આવ્યો હતો. જો કે આ દરમિયાન સુપ્રીયા સુલેએ એક વાત પર જરૂર ભાર મુક્યો હતો કે, વિચારધારા અલગ રહી શકે છે, રાજનૈતિક મતભેદો પણ હોઈ શકે છે, પરંતુ આખો પરિવાર સંપૂર્ણ રીતે એક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews”