મહારાષ્ટ્ર

રાજ્યમાં પ્રોજેક્ટ્સનું સમયપત્રક મુજબ જમીન સંપાદન પૂર્ણ કરો: ફડણવીસ

સૌ સંબંધિતોએ ખાતરી કરવી જોઈએ કે કોઈપણ પ્રોજેક્ટમાં વિલંબ ન થાય એમ પણ કહ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્યમાં તમામ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું જમીન સંપાદન સમયપત્રક મુજબ પૂર્ણ થવું જોઈએ અને પ્રોજેક્ટ્સ શક્ય તેટલી વહેલી તકે ટ્રેક પર લાવવા જોઈએ, એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવી સૂચનાઓ આપી હતી કે તમામ સંબંધિત એજન્સીઓ ખાતરી કરે કે જમીન સંપાદનના અભાવે કોઈ પ્રોજેક્ટમાં વિલંબ ન થાય. ફડણવીસે રાજ્યમાં 11 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના જમીન સંપાદન માટે જરૂરી 53,354 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડવાના નિર્દેશો પણ આપ્યા હતા.

ફડણવીસે વર્ષા નિવાસસ્થાને રાજ્યમાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સના જમીન સંપાદનની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે રાજ્યમાં નાગપુર – ગોવા શક્તિપીઠ હાઇવે, વિરાર – અલીબાગ કોરિડોર, જાલના – નાંદેડ એક્સપ્રેસ-વે, પુણે રિંગ રોડ પૂર્વ, પશ્ર્ચિમ અને વિસ્તરણ, ભંડારા – ગઢચિરોલી એક્સપ્રેસ-વે, નાગપુર – ચંદ્રપુર એક્સપ્રેસ-વે, નાગપુર – ગોંદિયા એક્સપ્રેસ-વે, નવેગાંવ (મોર) – સૂરજગઢ મિનરલ કોરિડોર, વાઢવણ – ઇગતપુરી એક્સપ્રેસ-વે, તેમજ કોલ્હાપુર, કરાડ, અકોલા, ગઢચિરોલી અને છત્રપતિ સંભાજીનગર ખાતે વર્ધા – નાંદેડ, વર્ધા – ગઢચિરોલી રેલવે પ્રોજેક્ટ્સ અને એરપોર્ટના જમીન સંપાદનની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

આપણ વાંચો: વન અધિકારીઓને યુદ્ધના ધોરણે મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સ મંજૂર કરવા જણાવ્યું છે: ગણેશ નાઈક…

પ્રોજેક્ટ્સમાં વિલંબને કારણે ખર્ચમાં નોંધપાત્ર વધારો થાય છે તેમ જણાવતા ફડણવીસે કહ્યું હતું કે જમીન સંપાદનની પ્રક્રિયા માટે તમામ એજન્સીઓને સમયસીમા આપવામાં આવી છે. તેનું કડક પાલન કરવું જોઈએ. બધી એજન્સીઓ અને સંબંધિત અધિકારીઓએ મિશન મોડ પર કામ કરવું જોઈએ. જમીન સંપાદન કાર્યને ગંભીરતાથી લેવું જોઈએ અને તાત્કાલિક શરૂ કરવું જોઈએ.

ફડણવીસે જણાવ્યું હતું કે શક્તિપીઠ હાઇવે યોજનાને પૂર્ણ ગતિએ ચલાવવામાં આવે અને તેની યોજના એવી રીતે તૈયાર કરવામાં આવે. જેથી ઓછામાં ઓછી જંગલની જમીનને અસર થાય. નાણા વિભાગે આ રસ્તાના જમીન સંપાદન માટે 12 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડવું જોઈએ. વિરાર અલીબાગ કોરિડોરના મોરબેથી કારંજા વિભાગમાં જંગલ જમીન અને મેન્ગ્રોવ જંગલ હોવાથી, જરૂરી પરવાનગીઓ મેળવવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવી જોઈએ.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વોરરૂમ મીટિંગમાં 15 પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

ઉપરાંત, આ પ્રોજેક્ટ માટે પરવાનગીઓ મેળવતી વખતે, વહીવટી પ્રક્રિયા સમાંતર ચાલુ રાખવી જોઈએ. આમ, કાર્ય ઝડપી બનાવી શકાય છે. સાગરમાલા યોજનામાં વાઢવણ-ઇગતપુરી એક્સપ્રેસ-વેનો સમાવેશ કરવા માટે દરખાસ્ત રજૂ કરવી જોઈએ. પરભણી જિલ્લાના સેલુ ખાતે જાલના-નાંદેડ એક્સપ્રેસ-વેની જમીન સંપાદન પ્રક્રિયા પંદર દિવસમાં પૂર્ણ થવી જોઈએ.

ભંડારા-ગઢચિરોલી, નાગપુર-ચંદ્રપુર, નાગપુર-ગોંદિયા સહિત વિદર્ભના તમામ એક્સપ્રેસ-વેની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવું જોઈએ અને ઝડપથી ચલાવવામાં આવે. વર્ધા-ગઢચિરોલી અને વર્ધા-નાંદેડ રેલવે લાઇનની જમીન સંપાદન પ્રક્રિયા પંદર દિવસમાં પૂર્ણ કરીને કામ શરૂ કરવામાં આવે, એમ પણ તેમણે કહ્યું હતું.

ગઢચિરોલી એરપોર્ટનું ઓએલએસ કરવું જોઈએ અને તેનો પ્રસ્તાવ ગઢચિરોલી કલેક્ટર દ્વારા મોકલવો જોઈએ. અકોલામાં એરપોર્ટના રનવેની લંબાઈ 2400 મીટર સુધી વધારવામાં આવે. અકોલામાં આધુનિક તેમજ મોટું એરપોર્ટ બનાવવું જોઈએ, એવી સૂચનાઓ ફડણવીસે રાજ્યમાં એરપોર્ટ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતી વખતે આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button