બેડ ન્યૂઝઃ કઠોળની ઘટતી આવકને કારણે ભાવમાં વધારો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

બેડ ન્યૂઝઃ કઠોળની ઘટતી આવકને કારણે ભાવમાં વધારો

નાશિક: સ્થાનિક બજારમાં કઠોળની ઘટેલી આવકને કારણે છેલ્લા ૧૦ દિવસમાં લગભગ તમામ દાળના ભાવમાં ૫ થી ૧૦ રૂપિયાનો વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે આ વર્ષે સમગ્ર રાજ્યમાં કઠોળ અને અન્ય ઉત્પાદનોને ભારે ફટકો પડ્યો છે. સામાન્ય રીતે

ઉનાળાની શરૂઆતમાં વર્ષભર સંગ્રહ કરવા માટે કઠોળનો વધુ જથ્થો ખરીદવામાં આવે છે. તેથી, માંગમાં વધારો થવાને કારણે, ભાવ પણ વધી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં તુવેર દાળમાં દસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે મગની દાળ, ચણાની દાળ અને અડદની દાળમાં પાંચ રૂપિયાનો વધારો થયો છે. સ્થાનિક બજારમાં અકોલાથી
અડદની દાળ, ચણાની દાળ, તુવેર દાળ, મગની દાળનો મોટો જથ્થો આવી રહ્યો છે. આ સાથે સટાણા અને પુણેથી અડદની દાળનું આગમન થઈ રહ્યું છે. તુવેર દાળ પરભણીથી, રાજસ્થાનમાંથી મૂગદાળ અને ગુજરાતમાંથી અડદની દાળ આવી રહી છે.

ALSO READ: Atmanirbhar Bharat: ભારત 2027 બાદ કઠોળ આયાત નહીં કરે, વેબ પોર્ટલ દ્વારા ખેડૂતો પાસેથી સીધી ખરીદી થશે:અમિત શાહ

આ વર્ષે કઠોળનું ઉત્પાદન ઘટ્યું છે અને ઉનાળાની શરૂઆતના કારણે કઠોળની માંગમાં પણ વધારો થયો છે. જેથી છેલ્લા દસ દિવસથી દરોમાં વધારો થયો છે. આગામી થોડા દિવસોમાં તુવેર રૂ.૧૯૦ થી રૂ.૨૦૦ને સ્પર્શે તેવી શક્યતા છે.

Back to top button