મહારાષ્ટ્ર

ચાર મહિનામાં 32 લાખ રૂપિયાનો નફો, પપૈયા અને કલિંગર વેચીને ખેડૂતે બદલી પોતાની તકદીર…

લાતુરઃ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ખેડુતે પપૈયાની ખેતી કરીને પોતાની કિસ્મત બદલી છે. મંગેશ શિવરાજઆપ્પા ધનાસુરે નામના એક ખેડૂતે પપૈયાની ખેતી કરીને ચાર મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરી હોવાનું કહેવાય છે. તેમની સફળતાથી પ્રેરિત થઈને ગામના અન્ય ખેડૂતો પણ તેમની પાસેથી પપૈયાની ખેતી કરવાના ગુણ શિખવા માટે પહોંચી ગયા છે.

મંગેશ શિવરાજઆપ્પા ધનાસુરે નિલંગા તહેસીલના લિંબાલા ગામના નિવાસી છે. તેમણે ગામમાં જ 6.5 એકરની જમીન પર પપૈયાની ખેતી કરી છે. 2022ના વર્ષના ડિસેમ્બર મહિનામાં તેમણે પપૈયાના 7000 ઝાડ રોપ્યા હતા. જેના માટે છ લાખ રૂપિયા ખર્ચાયા હતા. આઠ જ મહિનામાં ખેતરમાંથી પપૈયાનું ઉત્પાદન શરૂ થઈ ગયું અને ઓગસ્ટ મહિનાથી તેઓ પપૈયા વેચી રહ્યા છે.


અત્યાર સુધીમાં મંગેશ શિવરાજાઆપ્પા ધનાસુરે 24 લાખ રૂપિયાના પપૈયા વેચી ચૂક્યા છે. તેમનું એવું કહેવું છે કે તેઓ દર 15 દિવસે તેઓ 20 ટન પપૈયા પોતાના બગીચામાંથી ઉતારે છે. તેમના બગીચામાં ઉગાડવામાં આવેલા પપૈયા દિલ્હી સુધી પહોંચી ગયા છે. બજારમાં તેમને 20 રૂપિયા પ્રતિકિલો પપૈયાનો દર મળી રહ્યો છે. એવામાં તેઓ દર 15 દિવસે રૂપિયા 3 લાખની કમાણી કરે છે.


તેમની વાત માનીએ તો અત્યાર સુધી તેઓ પોતાના બગીચામાંથી 8 વખત પપૈયાનો પાક ઉતાર્યો છે અને ચાર જ મહિનામાં તેમને 24 લાખ રૂપિયાની આવક થઈ છે. જો રોકાણને બાદ કરીએ તો મંગેશ શિવરાજા આપ્પાએ ચાર મહિનામાં જ 18 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાવી ચૂક્યા છે.


મંગેશ પપૈયાની ખેતી કર્યા બાદ એ જ ખેતરમાં કલિંગરની ખેતી પણ કરે છે. આ વર્ષે તેમણે પપૈયાના 6.5 એકરને ખેતરમાં કલિંગરની ખેતી કરી હતી. આ માટે તેમણે ચાર લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ચાર મહિના બાદ તેમણે આશરે 160 ટન કલિંગર વેચ્યા હતા અને એનાથી તેમને 18 લાખ રૂપિયાની આવક થઈ હતી. જો અહીં પણ રોકાણને બાદ કરીએ તો તેમણે 14 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…