મરાઠી ભાષાના રક્ષકોએ ત્રણ ભાષાના ફોર્મ્યુલા સામે લડવા માટે એક થવું જોઈએ: પ્રકાશ મહાજન

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા પ્રકાશ મહાજને મંગળવારે કહ્યું કે જો મરાઠી ભાષાના રક્ષકો સરકારના ત્રણ ભાષાના ફોર્મ્યુલા હેઠળ હિન્દીની ફરજ પાડવા સામે સાથે મળીને લડશે, તો પરિણામો અલગ હશે.
ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના મોટા ભાઈ મહાજને કહ્યું, ‘જો નેતાઓ જે પોતાને મરાઠી ભાષાના રક્ષક માને છે તેઓ એક પણ ભૂલ કરે છે, તો ઇતિહાસ તેની નોંધ લેશે. જો આ રક્ષકો (શિવસેના યુબીટી અને મનસે) ભેગા થાય છે અને હિન્દી ફરજિયાતતા સામે લડે છે, તો પરિણામો અલગ હશે. આપણે એકબીજા સાથે લડતા રહીએ છીએ, અને દુશ્મન આ જ ઇચ્છે છે.’
તેમણે દાવો કર્યો કે મરાઠી માનુષ થોડો વ્યથિત છે. ‘જે લોકો એવું વિચારે છે કે આપણે (મરાઠી) ભાષા માટે કંઈક કરવું જોઈએ, તેઓ ચાલી રહેલા શબ્દયુદ્ધ તરફ લાચારીથી જોઈ રહ્યા છે. જો આપણી વચ્ચે દુશ્મનાવટ હોય અને મુશ્કેલી દરવાજા પર હોય, તો ભાષા અને મરાઠી લોકોનું રક્ષણ કોણ કરશે?’ એમ મનસેના નેતાએ કહ્યું હતું.
આ પણ વાંચો: મરાઠી ભાષાનું ‘અપમાન’ થઈ રહ્યું છે: રાઉત
શિવસેના (યુબીટી) સાથે જોડાણની શક્યતા અંગે, મહાજને ધ્યાન દોર્યું કે જ્યારે મનસેનાના વરિષ્ઠ નેતા બાળા નંદગાંવકર ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની મુલાકાતે ગયા હતા, ત્યારે બીજી પાર્ટીમાંથી કોઈ રાજ ઠાકરેને મળવા આવ્યું ન હતું.
‘કોઈએ મડાગાંઠ તોડવી જોઈએ અને જોડાણ વિશેની વાતચીત આગળ વધારવી જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.
મહાજને શાસક ગઠબંધનમાં સામેલ પક્ષોની પણ ટીકા કરી, તેમના પર સત્તામાં આવવા માટે કોઈપણ સ્તરે જવાનો આરોપ લગાવ્યો.