મહારાષ્ટ્ર

નાશિકમાં સિંહસ્થ કુંભ મેળાની તૈયારી જોરદાર નાશિકને જોડતા તમામ રસ્તાઓનો વિકાસ કરાશે

કેન્દ્રીય માર્ગ વિકાસ પ્રધાન નીતિન ગડકરીએ કેન્દ્રના ખર્ચે વિકાસ કરવાની સૈદ્ધાંતિક માન્યતા આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કેન્દ્રીય માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ નાશિકમાં આગામી કુંભ મેળા માટે ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જરૂરી રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નાસિક સિંહસ્થ કુંભ મેળાની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટૂંક સમયમાં એક ડીપીઆર (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવામાં આવશે અને તેને માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓની વધતી જતી રુચિ અને ભીડને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેના સફળ આયોજન અને માળખાકીય રસ્તાઓના વિકાસને સક્ષમ બનાવવા માટે કેન્દ્ર સરકારના સ્તરે સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ રવિવારે નાગપુરમાં મુખ્ય પ્રધાનની કચેરીમાં કેન્દ્રીય માર્ગ વિકાસ ખાતાના પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને તમામ સંબંધિત વિભાગોની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: નાશિક કુંભમેળાની તારીખોની જાહેરાત 31 ઓક્ટોબર 2027થી ધ્વજારોહણ સાથે કુંભની શરૂઆત

આઠ મહત્વપૂર્ણ માર્ગો નાશિક સાથે સંકળાયેલા છે. શ્રદ્ધાળુઓ મુંબઈ, ગુજરાત, પાલઘર, પુણે, અહિલ્યાનગર, સંભાજીનગર, ધુળેથી આવશેે. કુંભ દરમિયાન આ બધા માર્ગો અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત, નાશિક અને જિલ્લાના આંતરિક રસ્તાઓ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાયેલા છે. બેઠકમાં તે બધા રસ્તાઓના વિકાસ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. નીતિન ગડકરીએ લગભગ તમામ રસ્તાઓને કેન્દ્રની મદદથી વિકસાવવાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં તેના માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને બેઠકમાં કામ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફડણવીસે જણાવ્યું હતું કે, કુંભ દરમિયાન અપેક્ષિત વિશાળ ટ્રાફિકને સંભાળવા માટે વિસ્તૃત રોડ નેટવર્ક ઉપલબ્ધ થશે, તેથી શ્રદ્ધાળુઓને વધુ સલામત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ બેઠકમાં નાશિક રિંગ રોડને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે, નાશિકથી ત્ર્યંબકેશ્ર્વરનો રોડ છ લેનનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ત્ર્યંબકેશ્ર્વરમાં ગોદાવરી મુક્તપણે શ્ર્વાસ લેશે, કુશાવર્ત જેવા પવિત્ર તળાવનું નિર્માણ થશે; કુંભ મેળા માટે ગિરીશ મહાજનની જાહેરાત

નાશિકમાં ટ્રાફિક સુગમ બનાવવા માટે આ બેઠકમાં મુખ્યત્વે દ્વારકા સર્કલ પર સુવિધાઓ મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કળંબોલી જંકશનને ધોરણે દ્વારકા સર્કલને બે તબક્કામાં વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાં બે તબક્કા નક્કી કરવામાં આવ્યા હતા: કુંભ સુધીનું કામ અને કુંભ પછી હાથ ધરવાનું કામ.

ક્યા રસ્તાનો થશે વિકાસ?

1) ઘોટી – પાહિને – ત્ર્યંબકેશ્ર્વર – જવાહર ફાટા
2) દ્વારકા સર્કલ – સિન્નર આઈસી 21 (સમૃદ્ધિ એક્સપ્રેસ-વે) નાંદુર શિંગોટે – કોલ્હાર
3) નાશિકથી કસારા
4) સાવલી વિહિર (આઈસી 20 સમૃદ્ધિ એક્સપ્રેસ-વે) શિરડી – શનિ શીંગણાપુર ફાટા (રાહુરી ખુર્દ)
5) નાશિકથી ધુળે
6) ત્ર્યંબકેશ્ર્વર – જવાહર – મનોર
7) સાવલી વિહિર – મનમાડ – માલેગાંવ
8) ઘોટી – સિન્નર – વાવી – શિરડી
9) શનિ શીંગણાપુર ફાટા (રાહુરી ખુર્દ) – અહિલ્યાનગર (ખરવંડી ફાટા)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button