મહારાષ્ટ્ર કેન્સર કેર નીતિને કેબિનેટની મંજૂરી: 18 હોસ્પિટલમાં વિશેષ સારવાર મળશે | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર કેન્સર કેર નીતિને કેબિનેટની મંજૂરી: 18 હોસ્પિટલમાં વિશેષ સારવાર મળશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં આરોગ્ય સંભાળને મજબૂત બનાવવા માટે રાજ્યના પ્રધાનમંડળે આજે દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવા માટે વ્યાપક ‘કેન્સર કેર નીતિ’ને મંજૂરી આપી છે. આ નીતિ હેઠળ રાજ્યભરની 18 હોસ્પિટલમાં કેન્સરની વિશેષ સારવાર મળી શકશે.

મહારાષ્ટ્ર કેન્સર કેર, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશન (મહાકેર ફાઉન્ડેશન) નામની એક કંપનીની સ્થાપના 100 કરોડ રૂપિયાની પ્રારંભિક મૂડી સાથે કરવામાં આવશે એમ મુખ્ય પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: હિંગોલીમાં 14.5 હજારથી વધુ મહિલાઓમાં કેન્સર જેવા લક્ષણો જોવા મળ્યા

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્સર કેર નીતિ રાજ્યના તમામ જિલ્લાઓમાં વહેલી તકે નિદાન અને સારવાર મળે એની તકેદારી રાખશે. પ્રધાનમંડળે ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને અનુરૂપ રોકાણો અને બહુરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) પોલિસી 2025ને પણ મંજૂરી આપી છે. મુખ્ય પ્રધાનના કહેવા અનુસાર આ પગલાથી પાંચ લાખ ઉચ્ચ વેતન ધરાવતી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

(પીટીઆઈ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button