મહાદેવી હાથીને પરત લાવવા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે અરજી: મુખ્ય પ્રધાન ફડણવીસ | મુંબઈ સમાચાર

મહાદેવી હાથીને પરત લાવવા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે અરજી: મુખ્ય પ્રધાન ફડણવીસ

કોલ્હાપુર: કોલ્હાપુર જિલ્લાના નાંદણી જિનસેન મઠના માધુરી ઉર્ફે મહાદેવી હાથીને પરત કરવા માટે ચાલી રહેલા સંઘર્ષમાં લોકોની તીવ્ર લાગણીઓ જોવા મળી છે. આ કારણે, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરશે.

નાંદણીથી મહાદેવી હાથીને લઈ જતી વખતે ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે આ કેસમાં ધરપકડ કરી છે. આ પ્રકરણના શંકાસ્પદ આરોપીઓ સામે દાખલ કરવામાં આવેલા ગુનાઓ પાછા ખેંચવામાં આવે, એવી માગણી ધારાસભ્ય રાહુલ આવડીએ કરી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રની ‘માધુરી’ હવે ગુજરાત જશે? કોર્ટમાં પહોંચેલો મામલા અંગે જાણો?

આ અંગે દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે આ સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ ઘટનાની નોંધ લેતા, નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પણ કહ્યું કે રાજ્યમાં લગભગ ૪ થી ૫ પાળેલા હાથીઓના મોત થયા છે. આ ગંભીર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે વન વિભાગને આદેશ આપ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button