આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકસભા સંગ્રામઃ શિંદે-ફડણવીસ-પવાર જૂથના પેચ ક્યાં ફસાયા, શિંદે જૂથની શું છે માગણી?

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથવાળી શિવસેના મહારાષ્ટ્રમાં 24 લોકસભા (Loksabha Election 2024) સીટ પર ચૂંટણી લડશે એ વાતને લઈને મક્કમ છે, તેનાથી ફડણવીસની આગેવાની હેઠળના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના શિંદે-અજિત પવારના ગઠબંધનના પક્ષોમાં સીટની વહેંચણીને લઈને મુશ્કેલી સર્જાઈ છે. સોમવારે શિંદે જૂથના નેતા શંભુરાજ દેસાઇએ શિવસેના 2019માં 22 સીટ પર ચૂંટણી લડ્યા હતા, જેથી આ વખતે પણ શિવસેનાને 22 સીટ આપવામાં આવે એવી માગણી કરી હતી.

શિંદે જૂથના નેતા શંભુરાજ દેસાઇના આ નિવેદનથી મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના અને એનસીપી) વચ્ચે સીટની વહેંચણી કઈ રીતે થશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચૂંટણીમાં અમે મહાયુતિ ગઠબંધન તરીકે ચૂંટણી લડીશું. કઈ પાર્ટી કેટલી સીટ પર લડશે એ બાબતે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
દરેક પાર્ટીની બેઠક થઈ ગઈ છે અને સીટ વહેંચણીની રિપોર્ટ પાર્ટીના અધ્યક્ષ સામે રજૂ કરવાં આવી છે. આ બાબતનો છેલ્લો નિર્ણય સીએમ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર લેશે. આપણે (શિંદે જૂથે) 22 સીટ પર ચૂંટણી લડવી જોઈએ એવો રિપોર્ટ સીએમને આપવામાં આવ્યો છે, એવું દેસાઇએ જણાવ્યું હતું.


આ અંગે તેમણે આગળ કહ્યું હતું કે 2019માં શિવસેનાએ 22માંથી 18 બેઠક પર વિજય મેળવ્યો હતો, જેથી આ ચૂંટણીમાં પણ 22 બેઠક પર લડવાનો વિચાર ચાલી રહ્યો છે. કોઈ પાર્ટીના મોટા નેતા સીટની માગણી કરે એટલે તે નારાજ છે એવું નથી આ બાબતે દરેક પ્રકારની ચર્ચા કરીને ઉપાય કરવામાં આવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…