મહારાષ્ટ્ર

કોલ્હાપુરના ભાજપના નેતા શરદ પવારની પાર્ટીમાં જશે

પુણે: કોલ્હાપુરના ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના સાથી રાજે સમરજિતસિંહ ઘાટગેએ આજે જણાવ્યું હતું કે તેઓ ત્રીજી સપ્ટેમ્બરે શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી (એસપી)માં જોડાશે.

કોલ્હાપુરમાં કાગલમાં તેમના સમર્થકોને મળ્યા પછી તેમના નિર્ણયની જાહેરાત કરનારા ઘાટગેએ પણ કહ્યું કે તેમણે આ મુદ્દે ફડણવીસ સાથે પણ વાત કરી છે. ઘાટગે કાગલમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા માગે છે, જે હાલમાં અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીના હસન મુશ્રીફ પાસે છે.

સામાન્ય ધારણા એ છે કે શાસક ગઠબંધનમાંના પક્ષોને એવી બેઠકો રાખવાની મંજૂરી આપવામાં આવશે કે જેના પર તેમની પાસે વર્તમાન વિધાનસભ્યો છે, ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

હું મારા નેતા ફડણવીસ સાહેબને મળ્યો અને તેમને કહ્યું કે મેં આ નિર્ણય લીધો છે. હું આ અંગે વધુ ટિપ્પણી કરવા માંગતો નથી, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : Z+ Security આપવા અંગે શરદ પવારે આપ્યું નિવેદન, કારણ આ જ…

શરદ પવારને મળ્યા બાદ ઘાટગે એનસીપી (એસપી)માં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. ઘાટગેના સમર્થકોની બેઠકમાં એનસીપી (એસપી)ના મહારાષ્ટ્રના વડા જયંત પાટીલે હાજરી આપી હતી. પાટીલે સમર્થકોને પૂછ્યું કે શું એનસીપી (એસપી) દ્વારા ઘાટગેને કાગલથી ટિકિટ આપવાના નિર્ણય સાથે તેઓ સહમત છે. પછી તેમણે ત્રીજી સપ્ટેમ્બરે ઘાટગેના પક્ષપ્રવેશની જાહેરાત કરી હતી

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો