મારી કારકિર્દીમાં ‘80 ટકા સમાજકારણઅને 20 ટકા રાજકારણ’ના સિદ્ધાંતનું પાલન કર્યું છે: શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે તેમણે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના ‘80 ટકા સમાજકારણ અને 20 ટકા રાજકારણ’ના સિદ્ધાંતનું આજીવન પાલન કર્યું છે અને આગામી દિવસોમાં પણ સામાન્ય માણસ માટે કામ કરવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું છે.
શિંદેની આ ટિપ્પણી રાજ્ય વિધાનસભાએ આ મહિનાની શરૂઆતમાં વારકરી (ભગવાન વિઠ્ઠલના ભક્તો) સમુદાય તરફથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘આદ્ય જગતગુરુ શ્રી સંત તુકારામ મહારાજ પુરસ્કાર’ મેળવવા બદલ અભિનંદન આપતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યા પછી આવી હતી..
શિવસેનાના નેતા શિંદે વિરુદ્ધ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા કથિત અપમાનજનક ટિપ્પણીઓ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે આ ઠરાવ આવ્યો છે, જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કામરા માફી માગે એવી માગણી કરી છે, જ્યારે વિપક્ષ કામરાના સમર્થનમાં બહાર આવ્યો છે. શિંદેએ વિવાદનો કોઈ જવાબ આપ્યો નથી..
સંત તુકારામના નામે આ પુરસ્કાર મળવા બદલ અભિનંદન આપતા ઠરાવના જવાબમાં શિંદેએ કહ્યું કે આ પુરસ્કાર રાજ્યના લોકોનો છે અને તેઓ તેને તેમને સમર્પિત કરે છે.
‘મારી 40 વર્ષની લાંબી કારકિર્દીમાં, મેં બાળાસાહેબ ઠાકરેના 80 ટકા સમાજકારણ અને 20 ટકા રાજકારણના સિદ્ધાંતનું પાલન કર્યું છે અને સામાન્ય માણસ માટે કામ કરવાનું ચાલુ રાખવાનું વચન તેમને આપ્યું છે,’ એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
‘મુખ્ય પ્રધાન તરીકે મેં કરેલા કાર્યને કારણે રાજ્યે (ભાજપ, શિવસેના અને એનસીપી સહિતની મહાયુતિને) જંગી વિજય અપાવ્યો છે. અમે લોકો માટે કામ કરતા રહીશું. અમારી જવાબદારી વધી ગઈ છે,’ એમ તેમણે કહ્યું હતું. શિંદેએ કહ્યું કે તેઓ પોતાને ‘સામાન્ય માણસ’ માને છે.
‘આપણે રાજ્યના સામાન્ય માણસને સુપરમેન બનાવવો પડશે અને લોકોના જીવનમાં સુધારો લાવવો પડશે,’ એમ તેમણે કહ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે સરકાર અને વિપક્ષે લોકો માટે સાથે મળીને કામ કરવું જોઈએ.