મહારાષ્ટ્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ગૃહ મંત્રાલયની લાલ આંખઃ કડક કાર્યવાહીનો આદેશ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે લાલ આંખ કરી છે. ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને ડીજીપીને લેખિત સૂચનાઓ જારી કરી છે, જેમાં તેમને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પૂર્વે શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ સાંસદ રાહુલ શેવાળેએ ઘૂસણખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા બાદ રાહુલ શેવાળેએ ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.
ગૃહ મંત્રાલયે જારી કર્યા નિર્દેશ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને અન્ય સંબંધિત એજન્સીઓને બાંગ્લાદેશ અને મ્યાનમારથી મહારાષ્ટ્રમાં આવતા ગેરકાયદે સ્થળાંતર કરનારાઓ સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. શિવસેનાના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ શેવાળેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી, ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્દેશો આપ્યા છે. સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલ આરોપી બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાથી બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ગૃહ મંત્રાલયની કાર્યવાહી વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
બાંગ્લાદેશ-મ્યાનમારમાંથી વધુ ઘૂસણખોરી
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું હતું કે “ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS)ના એક ખાસ સર્વે મુજબ, દર વર્ષે બાંગ્લાદેશ અને મ્યાનમારથી મોટી સંખ્યામાં ગેરકાયદે ઘૂસણખોરો દેશમાં પ્રવેશ કરે છે. આ ગંભીર મુદ્દા પર ધ્યાન આપીને, આ ઘૂસણખોરોને રોકી શકાય છે.” મેં ગૃહમંત્રી અમિત શાહ પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી હતી. મારી અરજીને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલય દ્વારા આ મામલે યોગ્ય કડક કાનૂની કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. હું ગૃહ મંત્રાલય અને ગૃહમંત્રીનો આભારી છું. અમિત શાહ. હું આભાર પ્રગટ કરું છું.”
टाटा इन्स्टीट्यूट ऑफ सोशल साइंसेस (TISS) के विशेष सर्वेक्षण अनुसार, देश में बांग्लादेश और म्यानमार से हर साल अवैध तरीके से बड़ी तादाद में घुसपैठियों आते है।
— Rahul Shewale – राहुल शेवाळे (@shewale_rahul) January 20, 2025
इस गंभीर विषय की ओर ध्यान देकर इन घुसपैठियों पर सख्त कारवाई करने की मांग मैने आदरणीय गृहमंत्री श्री अमितभाई शाह से की थी।… pic.twitter.com/2UdPnlDNd3
બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખાણ માટે SITની રચના
તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખાણ કરવા માટે SITની રચના કરી છે. આ સંદર્ભમાં રાજ્યના તમામ વિભાગીય કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને પત્રો મોકલવામાં આવ્યા છે. ભાજપના નેતાની ફરિયાદ અને પુરાવાના આધારે એસઆઈટીની રચના કરવામાં આવી છે.