આમચી મુંબઈમહારાષ્ટ્ર

તો શું એકનાથ શિંદેનું પત્તુ કપાશે? આગામી સીએમના પ્રશ્ન પર ફડણવીસે શું કહ્યું જાણો

મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે . જો આ ચૂંટણીમાં પણ એનડીએ જીતી જાય તો શું તેના પછી પણ ભાજપ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવશે? દેવેન્દ્ર ફડણવીસે આ પ્રશ્નનો કોઈ સીધો જવાબ આપ્યો નથી.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આગામી મુખ્ય પ્રધાન કોણ હશે. તેનો નિર્ણય રાજ્યમાં સત્તામાં રહેલા ત્રણેય પક્ષો દ્વારા લેવામાં આવશે. હાલમાં, મહારાષ્ટ્ર સરકારમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસે ખૂબ જ સંક્ષિપ્ત જવાબ આપ્યો છે અને કોઈનું નામ ન લઈને વિવાદ ટાળવાનો પ્રયાસ કર્યો છે.


તેમ છતાં, તેમણે એકનાથ શિંદેનું નામ નહીં લેવાથી એક વાત તો સ્પષ્ટ છે કે તેમનું રાજકીય ભાવિ એનડીએ જીતશે તો પણ નક્કી થશે નહીં. શિવસેનામાંથી બળવા પછી એકનાથ શિંદેને બીજેપીના સમર્થનથી 2022માં સીએમ બનવાની તક મળી હતી. તેમને સીએમ બનાવવા એ પણ ચોંકાવનારો નિર્ણય હતો, જેની માહિતી લોકોને સીધી રાજભવન ખાતે જ મળી હતી. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે એકનાથ શિંદે અમારી સંયુક્ત સરકારના વડા હશે.


ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ સરકારમાંથી બહાર રહેશે. જોકે, સાંજ સુધીમાં ચિત્ર બદલાઈ ગયું હતું અને કેન્દ્રીય નેતૃત્વની દરમિયાનગીરી બાદ તેમણે ડેપ્યુટી સીએમનું પદ સ્વીકારી લીધું હતું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જો અમે 2024માં સત્તામાં આવીશું તો ત્રણેય પક્ષો સાથે મળીને નિર્ણય લેશે. આમાં ભાજપનો અભિપ્રાય સૌથી મહત્વનો રહેશે. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે પાર્ટીના દરેક નેતા માટે તેમના કાર્યકરો ઈચ્છે છે કે તેઓ મુખ્ય પ્રધાન બને. પરંતુ આ નિર્ણય વિધાનસભ્યોની સંખ્યા અને ગઠબંધનમાં ત્રણેય પક્ષોના અભિપ્રાયના આધારે જ લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમારા વરિષ્ઠ નેતાઓ ત્રણેય પક્ષોનો અભિપ્રાય લેશે અને પછી નિર્ણય લેવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો