મહારાષ્ટ્ર

ફડણવીસે ‘ધરતી આબા જનજાતી ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ શરૂ કર્યું, વડા પ્રધાનને યોજના માટે અભિનંદન આપ્યા

પાલઘર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે પાલઘરમાં ‘પ્રધાનમંત્રી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સહિત આધુનિક કૌશલ્ય તાલીમ પૂરી પાડવાનો છે, જેથી આદિવાસી યુવાનોને ઉભરતી તકો માટે તૈયાર કરી શકાય.

એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી અને રાજ્યના 32 જિલ્લાઓની આદિવાસી વસ્તીને લક્ષ્ય બનાવતી અનેક વિકાસ યોજનાઓની જાહેરાત કરી, જેમાં પાલઘર જિલ્લાના 635 ગામોનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં ભાજપ-આરએસએસ સંકલન બેઠકમાં હાજરી આપી

આ કાર્યક્રમમાં, ઉદ્યોગ-સંબંધી તાલીમ કાર્યક્રમો માટેની યોજનાના ભાગ રૂપે અનેક કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ‘સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે મળીને કુલ 57 કંપનીઓએ કૌશલ્ય તાલીમ માટે ભાગીદારી કરી છે, જેમાં ખાસ કરીને એઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમે ભવિષ્ય માટે તૈયાર રહેવાના છીએ.

કેટલાક લોકોની માનસિકતા એવી છે કે તેઓ તાલીમ વિના રોજગાર શોધે છે. તે સફળ થશે નહીં. પહેલા દિવસથી અમે એઆઈ અને અન્ય મહત્વપૂર્ણ કૌશલ્યોમાં તાલીમ આપવાનું શરૂ કર્યું છે કારણ કે નોકરીઓ માટે તેની જરૂર પડશે,’ એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ક્રેન ઓપરેટર તાલીમ, જે ભારતમાં તેના પ્રકારની પ્રથમ છે, તે જિલ્લામાં મેગા વાઢવાણ બંદરના સંદર્ભમાં શરૂ કરવામાં આવશે જેથી ધરતી પુત્રો પરિણામી રોજગાર તેજીના પ્રાથમિક લાભાર્થી બને.

આપણ વાંચો: હાશકારો! આખરે શનિવારે વિક્રોલી પૂર્વ અને પશ્ચિમને જોડનારા બ્રિજ ખુલ્લો મુકાશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મિડિયા પર કરી જાહેરાત…

તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે અહીં દહાણુમાં મેગા બંદર 10 લાખ રોજગારની તકો ઉભી કરશે, જેમાં પ્રદેશના રહેવાસીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

‘પ્રધાનમંત્રી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ને સ્વતંત્રતા પછી આદિવાસીઓ માટેનો સૌથી મોટો કાર્યક્રમ ગણાવતા, ફડણવીસે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને લાંબા સમયથી વિલંબિત માન્યતા આપવા અને તેમનો વારસો દરેક ગામ સુધી પહોંચે તે સુનિશ્ર્ચિત કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

તેમણે અધિકારીઓને 15 ઓગસ્ટ સુધીમાં તમામ પડતર વન અધિકાર કાયદાના કેસોનો ઉકેલ લાવવા અને ‘કાતકરી’ આદિવાસી સમુદાયના બાળકોને ‘આશ્રમ’ શાળાઓમાં પ્રવેશ આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ફડણવીસે મહારાષ્ટ્ર વાંસ મિશનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button