રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું નાશિકના પાલક પ્રધાનપદ અંગે મોટું નિવેદન: મુખ્ય પ્રધાન જ પાલક પ્રધાન | મુંબઈ સમાચાર

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું નાશિકના પાલક પ્રધાનપદ અંગે મોટું નિવેદન: મુખ્ય પ્રધાન જ પાલક પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
18 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાલક પ્રધાનોની જાહેરાત કરી હતી. નાશિક જિલ્લા માટે ભાજપના ગિરીશ મહાજન અને રાયગડમાં અજિત પવાર જૂથના અદિતિ તટકરેના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી, શિવસેના શિંદે જૂથના મંત્રી ભરત ગોગાવલેના સમર્થકો સીધા મુંબઈ-ગોવા હાઇવે પર ગયા. તેઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો, ટાયરો સળગાવીને રસ્તા પર ચક્કાજામ કર્યો. નાસિકમાં પણ પ્રધાન દાદા ભૂસેના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

આના એક દિવસ પછી, નાશિક અને રાયગડ માટે પાલક પ્રધાનોની નિમણૂકના નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી હતી. નાસિક અને રાયગડ બંને જિલ્લાઓના પાલક પ્રધાનપદ અંગેનો વિવાદ હજુ પણ ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ નાશિકનું પાલક પ્રધાનપદ જાળવી રાખશે. હવે, રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાસિકના પાલક પ્રધાનપદ અંગે મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: જો એનસીપી-સેના વચ્ચેનો વિવાદ ઉકેલાતો ન હોય, રાયગઢનું પાલક પ્રધાનપદ અમને આપો: આઠવલે

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે નાશિકની મુલાકાત લીધી હતી. આ વખતે તેઓ ત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં ગયા હતા અને દર્શન કર્યા હતા. તેમણે કુશાવર્ત તીર્થ ક્ષેત્રનું પણ નિરીક્ષણ કર્યું.

આ ચર્ચામાં, યુવા ઉદ્યોગસાહસિકોએ દેવેન્દ્ર ફડણવીસને નાશિકના પાલક પ્રધાનપદના ભાવિ વિશે પૂછ્યું હતું. આ વખતે, ફડણવીસે આપેલા જવાબથી બધાને ઝટકો લાગ્યો હતો. જ્યાં સુધી જિલ્લાઓ માટે પાલક પ્રધાનની જાહેરાત ન થાય ત્યાં સુધી આ જવાબદારી મુખ્ય પ્રધાન પાસે રહે છે.એમ જણાવતાં ફડણવીસે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં નાશિકના પાલક પ્રધાનની જાહેરાત કરશે. તો, શું મહાયુતિમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાશિકના પાલક પ્રધાન રહેશે? એવી ચર્ચાઓ થઈ રહી છે.

Back to top button