મહારાષ્ટ્ર

નવા ફોજદારી કાયદાઓ લાગુ પાડવા અંગે ફડણવીસે આપ્યું મહત્ત્વનું નિવેદન

નવી દિલ્હી: રાજ્ય આગામી છ મહિનામાં નવા ફોજદારી કાયદાઓને ‘સંપૂર્ણપણે’ લાગુ કરવાની જાહેરાત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. નવી જોગવાઈઓના અમલીકરણ પ્રક્રિયા અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સમીક્ષા બેઠક બાદ આ વાત સામે આવી છે.

ફડણવીસે જણાવ્યું કે મહારાષ્ટ્રે નવા કાયદાઓના અમલીકરણમાં પહેલાથી જ નોંધપાત્ર પ્રગતિ કરી છે અને ઉલ્લેખ કર્યો કે સાત વર્ષથી વધુ જૂના કેસ માટે ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે ૨૭ વેન તૈનાત કરવામાં આવી છે.

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે રાજ્યએ અદાલતો માટે ઓનલાઈન સિસ્ટમ્સ સ્થાપિત કરી છે, પરંતુ નવી જોગવાઈઓ હેઠળ, અદાલતો અને ફોરેન્સિક લેબ્સમાં સમર્પિત અને નિયુક્ત વિભાગ સ્થાપિત કરવાની જરૂર છે.

આ પણ વાંચો : એકનાથ શિંદેનો દેવેન્દ્ર ફડણવીસ સાથે વિવાદ?નાયબ મુખ્ય પ્રધાને આપ્યો રદિયો: બધું સમુસૂતરું હોવાનો દાવો…

વધુમાં, ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના ૯૦ ટકા પોલીસ દળ, જેમાં ૨ લાખ કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેમને નવા કાયદાઓના અમલીકરણ માટે પહેલાથી જ તાલીમ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button