મહારાષ્ટ્ર

બડગુજરના ભાજપ પ્રવેશનો ફડણવીસે બચાવ કર્યો, કહ્યું કે પાર્ટીમાં કોઈ વિરોધ નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે શિવસેના (યુબીટી)ના વિવાદાસ્પદ નેતા સુધાકર બડગુજરના ભાજપમાં પ્રવેશનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે સત્તાધારી પક્ષમાં તેમના પ્રવેશને લઈને કોઈ વિરોધ નથી.

ફડણવીસે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ બડગુજરના ભાજપમાં પ્રવેશનો વિરોધ કર્યો નથી.
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતના એક સમયે અત્યંત નજીકના ગણાતા બડગુજરને ગયા વર્ષે ભાજપ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, કારણ કે એક વીડિયોમાં તેમને 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના આરોપી સલીમ ‘કુત્તા’ સાથે ડાન્સ કરતા દર્શાવવામાં આવ્યા હતા.

આપણ વાંચો: શિવસેના (યુબીટી)એ નાસિકના નેતા સુધાકર બડગુજરને ‘પક્ષ વિરોધી’ પ્રવૃત્તિઓ માટે બરતરફ કર્યા…

તેઓ મંગળવારે ભાજપમાં જોડાયા તે પહેલાં પાર્ટીના વિધાનસભ્ય સીમા હિરેએ તેમના પ્રવેશનો સખત વિરોધ કર્યો હતો.
થોડા સમય માટે જેલમાં બંધ બડગુજર તાજેતરમાં સેના (યુબીટી) પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ફડણવીસને મળ્યા હતા. તેમને તરત જ ઠાકરે સેનામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

મંગળવારે મુંબઈ સ્થિત પાર્ટી કાર્યાલયમાં બડગુજર અને અન્ય એક ભૂતપૂર્વ સેના (યુબીટી) નેતા બબનરાવ ઘોલપને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા.

બડગુજરના સમાવેશ વિશે પૂછવામાં આવતા ફડણવીસે પુણેમાં પત્રકારોને જણાવ્યું હતું કે એ સાચું છે કે બડગુજરની ભાજપ નેતા નિતેશ રાણે (દાઉદ ઇબ્રાહિમના સાથી સાથેના કથિત સંબંધો અંગે)એ ટીકા કરી હતી, પરંતુ નોંધાયેલા પોલીસ કેસમાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આપણ વાંચો: શિવસેના યુબીટીના વિવાદાસ્પદ નેતા બડગુજર અને ભૂતપૂર્વ પ્રધાન ઘોલપનો ભાજપ પ્રવેશ

‘ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં (તેઓ તે પાર્ટી (સેના-યુબીટી)માં હતા ત્યારે આ બન્યું હતું. હવે, તેમણે ભાજપમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કોઈ ભાજપમાં જોડાવા માગે છે, તો તેમનું સ્વાગત છે. એકમાત્ર અપેક્ષા એ છે કે એકવાર તેઓ જોડાયા પછી, તેમણે ભાજપના નિયમો અને શિસ્તનું પાલન કરવું પડશે,’ એમ તેમણે કહ્યું હતું.

‘ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેને શરૂઆતમાં તેમના પક્ષપ્રવેશ વિશે ખબર નહોતી. હકીકતમાં, પાછળથી બાવનકુળે સાહેબે પોતે આ બાબત સ્પષ્ટ કરી હતી,’ એમ તેમણે કહ્યું હતું.

‘તેઓ (બાવનકુળે) બડગુજરના પ્રવેશનો વિરોધ કરતા નહોતા અને જોડાવાના કાર્યક્રમ દરમિયાન હાજર પણ હતા. હું એટલું કહી શકું છું કે વાતચીતમાં કોઈ ખામી હોઈ શકે છે, પરંતુ કોઈએ બડગુજરના ભાજપમાં પ્રવેશનો વિરોધ કર્યો ન હતો,’ એમ ફડણવીસે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button