આમચી મુંબઈમહારાષ્ટ્ર

પાંચ વર્ષ પછી પીએમ મોદી શિરડીની આ તારીખે લેશે મુલાકાત

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબરે આગામી ગુરુવારે શિરડીની મુલાકાતે છે. તેમની હાજરીમાં મહેસૂલ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટિલના મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન, ઉદ્ઘાટન અને અર્પણ સમારોહ યોજાશે. પાંચ વર્ષ બાદ વડા પ્રધાનની આ બીજી મુલાકાત હશે, એવું મહેસૂલ પ્રધાન વિખે પાટીલે જણાવ્યું હતું.

વડા પ્રધાન મોદીની સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના ઘણા રાષ્ટ્રીય નેતાઓએ વિખે પાટીલના મતવિસ્તાર લોણી ગામમાં કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ સિવાય વિખે પાટિલે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સાથેની તેમની દિલ્હી મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

વિખેને ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતાઓને મળવા માટે ક્યારેય રાજ્યના નેતાઓની મધ્યસ્થીની જરૂર પડી નથી. ભાજપના નેતાઓ માટે મોદી કે શાહને મળવું મુશ્કેલ છે, પરંતુ વિખે-પાટીલને ટોચના નેતૃત્વ તરફથી સરળ મુલાકાત મળે છે. ભાજપમાં જોડાયાના પાંચ વર્ષ બાદ જ આ પરિવર્તન આવ્યું છે. પવારના કટ્ટર વિરોધી તરીકેની તેમની ઓળખ પણ ભાજપમાં વિખેનું સ્થાન વધુ મજબૂત કરવામાં અસરકારક રહી છે.

જોકે, વિખે પરિવાર કોંગ્રેસને વફાદાર હતા, પરંતુ કોંગ્રેસે ક્યારેય બાળાસાહેબ વિખે કે રાધાકૃષ્ણ વિખેને મહત્વ વધવા દીધું નહી. તેથી કોંગ્રેસમાં પિતા-પુત્રને સતત સંઘર્ષની ભૂમિકા નિભાવવી પડી હતી. બાદમાં તેઓ ભાજપ તરફ વળ્યા. જોકે, મોટાભાગના નેતાઓએ વિખેના ભાજપમાં પ્રવેશનો વિરોધ કર્યો હતો.

રાજ્યમાં એકનાથ શિંદેના બળવા પછી વડીલોને બાજુ પર મૂકીને વિખેને મહેસૂલ પ્રધાનનું મહત્ત્વનું પદ મળ્યા પછી વિખેએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. મરાઠા સમુદાયમાં એક નેતા તરીકેની તેમની ઓળખ પાર્ટીમાં તેમની સ્થિતિને મજબૂત કરવામાં મદદરૂપ બની. તેઓ પક્ષના રાષ્ટ્રીય નેતાઓની સાથે ફડણવીસના પ્રિય નેતા તરીકે જાણીતા બન્યા.

શિરડીની મુલાકાતમાં દરમિયાન વડા પ્રધાન મોદી વર્ષોથી વિલંબિત નિલાવંદે ડેમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ જિલ્લાના ઉત્તરીય ભાગ અને વિખેના મતવિસ્તાર માટે પણ મહત્વપૂર્ણ છે. પરંતુ તાજેતરના સમયમાં રાષ્ટ્રીય નેતાઓની માત્ર શિરડી-લોનીની મુલાકાતોને કારણે તમામ મહત્વની ગતિવિધિઓ જિલ્લા મથકને બદલે ત્યાં જ આયોજિત થવા લાગી હોવાથી દક્ષિણ વિસ્તારના ભાજપના નેતાઓએ અસંતોષ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?