નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

‘આ EVM ગોટાળા કરતા પણ ગંભીર છે…’ કોંગ્રેસે મતગણતરીના નવા નિયમ પર સવાલ ઉઠાવ્યા, ચૂંટણી પંચે આપ્યો જવાબ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામ(Loksabha Election result) 4 જુનના રોજ જાહેર કરવામાં આવશે, કોંગ્રેસે ચૂંટણી પંચ(Election Commission)એ મતગણતરી માટેના નિયમોમાં કરેલા ફેરફારો અંગે સવાલ ઉઠાવ્યા છે, કોંગ્રેસ નેતા અજય માકને મત ગણતરી પ્રક્રિયા દરમિયાન આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) ટેબલ પર ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સને મંજૂરી ન આપવાના નવા નિયમ પર સવાલ ઉઠાવ્યા છે.

સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, માકને કહ્યું, ” એવું પહેલીવાર બન્યું છે, કે ARO ટેબલ પર ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટોને જવાની મંજૂરી નથી આપવામાં આવી રહી!!! મેં ભૂતકાળમાં 9 લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડી છે, પણ આવું પ્રથમ વખત થઇ રહ્યું છે, આ કથિત EVM ગોટાળા કરતાં પણ વધારે ગંભીર છે! હું આ મુદ્દાને તમામ ઉમેદવારો માટે ચેતવણી સમાન ગણી રહ્યો છું! મને આશા છે કે ચૂંટણી પંચ તેને જલ્દી સુધારશે.”

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ માકનની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું, “એ સ્પષ્ટ કરવામાં આવે છે કે ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટોને આરઓ/એઆરઓના ટેબલ પર જવાની મંજૂરી છે.”

માકનની ટીપ્પણી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન શનિવારે સમાપ્ત થયા પછી આવી હતી.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મતદાનના સાતમા તબક્કામાં 62.36 ટકા મતદાન થયું હતું.

સાતમા તબક્કાના મતદાન બાદ યોજાયેલા કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માટે જંગી જીતની આગાહી કરવામાં આવી છે. બે એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી 303 બેઠકો કરતા વધુ બેઠકો મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો