હવે Actress Kangna Ranaut નહીં પણ MP Kangna Ranut, જીત મળતાં જ કહી આવી વાત…
![Kangana Ranaut Won](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/BJP-candidate-from-Himachal-Pradeshs-Mandi-Lok-Sabha-constituency.webp)
લોકસભા ચૂંટણી-2024 (Lok Sabha Election-2024)નું પરિણામ ધીરેધીરે ક્લિયર થઈ રહ્યું છે અને સવારે આઠ વાગ્યાથી જ લોકોનું ધ્યાન મતગણતરી પર છે. આ વખતે અનેક સેલિબ્રિટીઓએ પણ ચૂંટણીના રણસંગ્રામમાં ઝંપલાવીને પોતાની તકદીર અજમાવવાનું પસંદ કર્યું છે અને એમાંથી જ એક છે બોલીવૂડ એકટ્રસ કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut) પણ… ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌતને ટિકિટ આપી હતી અને એની સામે કોંગ્રેસે વિક્રમાદિત્ય સિંહને ટિકિટ આપી હતી. મંડીની આ લોકસભાની બેઠક ખૂબ જ મહત્ત્વની ગણાઈ રહી હતી અને આ બેઠક પરથી કંગના રનૌત જિતી ગઈ છે. કંગનાએ 72,000 કરતાં વધુ મતથી વિક્રમાદિત્ય સિંહને હરાવીને જિત હાંસિલ કરી હતી. કંગનાની આ જિતથી તેના ફેન્સ એકદમ ગેલમાં આવી ગયા છે.
ચૂંટણીમાં જિતી ગયા બાદ કંગના રનૌતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ય પરથી એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં કંગના રનૌતે એક પોસ્ટર શેર કરીને બધાનો આભાર માન્યો છે. કંગનાએ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે તમામ મંડીના રહેવાસીઓએ આપેલા પ્રેમ અને વિશ્વાસ માટે આભાર… આ જિત તમારી છે. આ જિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છે. ભાજપ પર વિશ્વાસ કરોસ આ વિજય સનાતન ધર્મનો છે અને આ જિત વિજયના માન-સન્માનની છે…
આજે જ સવારે કંગના રનૌતે આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મંડીએ ક્યારેય દીકરીઓના અપમાનને હળવાશમાં નથી લીધું. વાત કરું મુંબઈ જવાની તો હું ક્યાય જવાની નથી. હિમાચલ એ મારી જન્મભૂમિ છે અને હું અહીંના લોકોની સેવા માટે હંમેશા તત્પર રહીશ, પણ બીજું કોઈ છે જેમણે બેગ ભરીને ક્યાંક તો જવું પડશે, હું ક્યાંય જવાની નથી.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/kangana-ranaut.jpeg)
મત ગણતરીની શરૂઆત થઈ ત્યારે કંગના રનૌત પાછળ ચાલી રહી હતી અને તેણે ધબોહી ખાતે આવેલા અંબિકા માતા મંદિરની મુલાકાત લીધી હતી. એનો ફોટો પણ કંગનાએ શેર કર્યો હતો.