Live News
કાંકરિયા કાર્નિવલ અમદાવાદનું ઘરેણું બની ગયું છેઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધીના દોઢ કિલોમીટરના રોડ શો માટે સમગ્ર માર્ગને તિરંગા અને અન્ય બેનરોથી શણગારવામાં આવ્યો છે. પીએમ મોદી કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકોર્પણ કરશે.
