લાડકી

ફોકસઃ યોગ દ્વારા નવપલ્લવિત થતી બેડરૂમ લાઈફ

ઝુબૈદા વલિયાણી

મુંબઈ સમાચાર અખબારમાં દર ગુરુવારે પ્રગટ થતી લાડકી પૂર્તિની વ્હાલી વાચક બહેન-દીકરીઓ!

-શું તમારી પર્સનલ લાઈફ સખળડખળ ચાલી રહી છે તો તમે યોગક્રિયાઓ દ્વારા શરીર અને મનને સ્વસ્થ બનાવીને તમારી બેડરૂમ લાઈફને ઈઝી બનાવી શકો છો.

-યોગાસનો દ્વારા તમે તમારી લાઈફ'નેરિચાર્જ’ કરી શકો છો.

-બેડરૂમ લાઈફમાં પ્રવત્ત થવા માટે જરૂરી છે કે તમે શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ હો, કારણ કે હેલ્ધી શરીરના કારણે જ

  • ધર્મ,
  • અર્થ,
  • કામ જેવાં કાર્યો પૂરાં થાય છે.
  • જેટલા તમે હેલ્ધી અને ફિટ હશો એટલી તમારી બેડરૂમ લાઈફ સરળ રહેશે.

આ પણ વાંચો: ફોકસઃ જાણો કયા દેશમાં સોશ્યલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ થાય છે?

-યોગ માનસિક રીતે તો સ્વસ્થ બનાવે છે, સાથે સાથે શરીરની કાર્યક્ષમતા પણ વધારે છે.

-યોગથી માનસિક શાંતિ મળે છે અને મન એ કામ શક્તિનું નિયંત્રક તથા સંચાલક હોવાથી સ્વસ્થ શરીર અને મન દ્વારા જ સાચા અર્થમાં જાતીય જીવનનો સાચો આનંદ મેળવી શકાય છે.

-શરીરનો મધ્ય ભાગ કામઊર્જા સાથે સંકળાયેલો છે. જો શરીરનો આ ભાગ વ્યવસ્થિત રીતે વિકસિત ન થયો હોય તો તમે જાતીય સુખ માણવામાં તકલીફ અનુભવો છો.

  • સૂર્ય નમસ્કાર,
  • ભૂજંગાસન,
  • પવન મુક્તાસન જેવાં અનેક આસનો છે જેની અસર શરીરના મધ્ય ભાગ પર પડે છે.
  • યોગનાં વિવિધ આસનોથી શરીરનાં અંગો સુદૃઢ બને છે ને તેનાથી હેલ્ધી' રીતેપ્રવૃત્ત’ રહેવાની શક્તિ વધે છે. આ બાબતો માટે વૈજ્ઞાનિક સંશોધનો પણ થયેલાં છે.
  • સેક્સોલૉજિસ્ટ પણ એવું માને છે કે,
  • યોગાસન કરવાથી સ્ત્રીઓના હૃદયના ધબકારા તથા લોહીના પ્રવાહમાં વધારો થાય છે.
  • પુરુષો માટે પણ યોગાસન કોઈ વરદાન કરતાં ઓછાં નથી.
  • યોગાસન કરવાથી વ્યક્તિ માનસિક રીતે તો મજબૂત થાય છે, ઉપરાંત તેનું મન પણ સ્થિર થાય છે.

આ પણ વાંચો: ફોકસઃ ત્વચા સંભાળ માટે ભૂલ સાબિત થશે આવી ખોટી માન્યતા…

-શરીરમાં આવેલી ગ્લેન્યુલર સિસ્ટમ એટલે કે ગ્રંથિઓની કાર્ય કરવાની પ્રણાલીને જાણવી જરૂરી છે.

  • જુદી જુદી ગ્રંથિઓનો શરીરને ઉત્તેજિત કરવામાં મહત્ત્વનો ફાળો હોય છે જેને એન્ડોફાઈન ગ્લેંડસ કહેવાય છે માટે એ જરૂરી છે કે તમારા શરીરની આ ગ્રંથિઓ સ્વસ્થ રહે.

-કેટલાંક યોગાસનો કરવાથી શરીર એકદમ ચૂસ્ત રહે છે તો સાથે સાથે કેટલીક યોગિક મુદ્દાઓના કારણે શરીરની `શક્તિ’માં વધારો થાય છે.

  • ચક્રાસન,
  • મહામુદ્રા,
  • મુદ્રા
  • મૂળબંધ વગેરે મુદ્રાઓ શરીરની કામેચ્છાને જાગૃત કરે છે.

-સાથે સાથે અશ્વિની

  • શીઘ્રપતન,
  • વધારે પડતા રક્તસ્ત્રાવ તથા
  • મેનોપોઝના પ્રોબ્લેમમાં મદદરૂપ છેથાય કરવાથી ફાયદો થાય છે.

-પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ વધી જવી, એ ઉપરાંત નપુંસકતા જેવી પરિસ્થિતિને રોકવા પણ યોગ લાભકારક છે.

-લાડકી પૂર્તિને નિયમિત વાંચતી વ્હાલી બહેનો!

-યોગની અસર આપણા શારીરિક, માનસિક સ્વાસ્થ્ય પર પણ પડતી હોઈ. કેટલાંક સરળ યોગાસનોથી સચોટ ઈલાજો દર્શાવતા આસનો વિશે આવતા અંકના બીજા અને છેલ્લા ભાગમાં રોશની નાખીશું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button