લાડકી

આજે ‘વિશ્વ પર્યાવરણ દિન’ અવસરે આવો, મળો આ ટીનએજ ઇકો હીરોને…

નિધી શુકલ

નામ છે એનું ઈશાન…
માત્ર 16વર્ષની વયે ઈશાન સૂરવે હવે એક તરુણ પર્યાવરણપ્રેમી તરીકે આગવી ઓળખાઈ મેળવી રહ્યો છે.

‘ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ’ના ધોરણ11નો વિદ્યાર્થી ઈશાન નાનો હતો ત્યારે પોતાનાં મનગમતાં પાત્રોનાં રમકડાથી રમતો હતો, પણ એક વાર એને ખબર પડી કે એ બધાં પ્લાસ્ટિકના બનેલા હતા અને કાળ ક્ર્મે આવું મોટાભાગનું પ્લાસ્ટિક પર્યાવરણ પ્રદૂષિત કરે છે ત્યારે ઈશાને ‘પ્રાકૃતિ’ નામે. એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જે ભારતનાં રમકડાં ઉદ્યોગમાં હરિતક્રાંતિ લાવવા માટે પ્રયાસ કરે છે. જે ગ્રાહકોને વિકલ્પરૂપે પર્યાવરણ મૈત્રી એવી એક કિટ આપે છે, જે 20થી વધુ કુદરતી તત્ત્વોની બનેલી હોય છે. આવી કિટ બાળકોને કુદરત સાથે જોડે છે. છેલ્લાં બે વર્ષમાં ઈશાન આવી 350થી વધુ પ્રાકૃતિ કિટ વેચીને રુપિયા 3,60,000 કમાયા છે. એમાંથી ઈશાને નફાના 50% એટલે રૂપિયા 95,000 આદિવાસી બાળકોના અભ્યાસ માટે વાપર્યા છે- પુનર્નિવેશ કર્યા છે.

ઈશાને 12,000થી વધુ બાળકોને પ્રેરિત કર્યા છે વિવિધ પર્યાવરણીય મુદ્દાઓ પર ઈશાન વર્કશોપ અને રાષ્ટ્રીય સામાજિક સંસ્થા વનશ ક્તિસાથે ગામગામ જઈને શેરી નાટકો દ્વારા પાણીપ્રદૂષણ, પ્લાસ્ટિકનો ત્યાગ, જંગલમાં આગ, કુદરતી ખજાનાનો ઉપયોગ, ખેતી માટે નીમવૃક્ષનું મહત્ત્વની સાથે ‘જંગલ બચાવો પાણી બચાવો’ વગેરે મુદ્દા વિશે સવિસ્તર સમજણની સાથે માહિતી આપે છે.

ઈશાન દ્રઢતાપૂર્વક કહે છે: ‘પૃથ્વી આપણાં મોટી થવાની રાહ જોઈ રહી નથી. આપણે જ હવે પગલાં લેવા જ પડશે. મારે-આપણે સાબિત કરવું છે કે ધરતી બચાવવાનું કામ ઉંમર પર નિર્ભર નથી.!’

આપણી પ્રકૃતિને બચાવવી હશે પદૂષણથી ઉગારવી હશે તો આદિવાસીથી લઈને શહેરી તરુણોને અનેક પ્ર્કારના પ્રદૂષણ વિશે જાણકારી આપીને એમને તૈયાર કરવા પડશે. આના માટે ઈશાનની સંસ્થા ‘પ્રાકૃતિ’એ અનેક સ્કૂલ ફેર તથા ઇકો કાર્નિવલ્સનું આયોજન કર્યું છે. ઈશાનની આ પ્રકારની પ્રાકૃતિઓને મધ્ય પ્રદેશના રાજપરિવાર સહિત સમાજની અનેક જાણીતી હસ્તીઓએ બિરદાવી છે.

ઈશાનને આ 2025માં ‘વનશક્તિ’ સંસ્થા દ્વારા CONSERVE-PROTECT-NURTURE જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. પ્રકૃતિના સાચા રક્ષક બનવા બદલ પ્રશંસાના પ્રતીક તરીકે આ પારિતિષિક છેલ્લા પાંચેક વર્ષથી આપવામાં આવે છે. આ પ્રસંગે ઈશાનની પ્રશંસારૂપે કહેવામાં આવ્યું છે કે ‘આપણી પૃથ્વીને સુરક્ષિત રાખવા અને ફળદ્રુપ કરવા માટે ઇશાનના અવિરત પ્રયાસો ખૂબજ સકારાત્મક રહ્યા છે… અને જ્યારે ભારતમાં પર્યાવરણ અને સંરક્ષણની વાત આવે છે ત્યારે આવા યુવાનો ભાવિ પેઢીનો અવાજ બની રહેશે..’.

આજે જ્યારે સમસ્ત વિશ્વ પર્યાવરણના સંકટમાંથી પસાર થઈ રહ્યુંછે ત્યારે ઈશાન જેવા તરુણો દર્શાવે છે કે આગામી પેઢી અત્યારથી જ આવી કટોકટીનો સામનો કરવા માટે સાબદી છે.

આ પણ વાંચો….વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ: ગુજરાતમાં મિયાવાકી વન કવચથી પર્યાવરણ સંરક્ષણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button